SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ “કાળને ખેલ તે જુઓ, મેટાભાઈ” અને એને, એ સમજે એવી ભાષામાં સમજાવવા માંડ્યો, “જેમની પાસે પહેલાં આપણે યાચના કરતા હતા, તે આજે આપણી પાસે યાચના કરી રહ્યા છે. ધાર્મિક અનુષ્ઠાને માટે કાકા આપણુ પાસે દ્રવ્ય માગે અને આપણે ના પાડીએ, તે આપણી આબરૂના કાંકરા થઈ જાય. મૂએલાઓને પરલોક બગાડ્યો એવી આપણું વગેવણી થાય.” પણું શ્રાદ્ધ કરવાની હું ક્યાં ના પાડું છું.” ભીમે દલીલ કરીઃ “ભીષ્માદિના શ્રાદ્ધ કરવાની અગત્ય હોય તે આપણે જાતે ક્યાં નથી કરી શકતા ! અને કર્ણનું શ્રાદ્ધ કરવાની વ્યવસ્થા તે આપણું માતા કુન્તીને હાથે થાય એ જ બરાબર છે. બાકી રહ્યા દુર્યોધન વગેરે! તે તેમને માટે તે હું એક કેડી પણ ખરચવા તૈયાર નથી.” પણ આખરે અર્જુન ભીમને સમજાવી લે છે; અને ધૃતરાષ્ટ્રની ઈચ્છા પ્રમાણે શ્રાદ્ધવિધિ થાય એ માટે જોઈતું દ્રવ્ય યુધિષ્ઠિર પિતાના ખજાનામાંથી કઢાવી દે છે. અને ધૃતરાષ્ટ્ર યુદ્ધમાં માર્યા ગયેલ પોતાના એકેએક પુત્ર તેમ જ સ્વજનને સંભારી સંભારીને બ્રાહ્મણોને મબલખ દ્રવ્ય દાનમાં આપે છે! (કાના બાપની દિવાળી !) જતાં જતાં પારકે પૈસે પોતાની વાહ વાહ કરાવવાની વૃત્તિ પણ આ માણસની જબરી છે! ખંધાઈ અને દગાઈ એના હૃદયમાં ધાર્મિક આસ્થા અને વૈરાગ્યની સાથે જ વસતાં હશે ! મહાભારત કહે છે કે “આ વખતે નૃપ (યુધિષ્ઠિર ? કે ધૃતરાષ્ટ્ર રૂપી અંબુદે (વાદળાએ) ધનની ધારાઓને વરસાવી વરસાવીને બ્રાહ્મણોને તૃપ્ત કર્યા. બ્રાહ્મણ સિવાયના વર્ણોને પણ ખાનપાનાદિથી ગળા સુધી ધરવ્યાં! વસ્ત્રો, ગાય, અશ્વો, રત્ન, વસ્તુઓને જાણે વરસાદ જ વરસ્ય, વસતી પર! સાંસારિક જીવનનું આ છેલ્લું પુણ્યકાર્ય પતાવીને ધૃતરાષ્ટ્ર વનની વાટ પકડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy