SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પણ અશ્વત્થામા માટે તે “સો તારી રામદૂહાઈ, એક મારું ઊંડું !” જેવું છે!” માતૃશ્ય યુતો નિ. એ કહે છે: “રોગગ્રસ્ત, કામપીડિત અને વૈરતપ્ત માણસને નિદ્રા કેવી ? ” સાચી વાત એ છે કે અશ્વત્થામા હવે વેરના ઝનૂનમાં નૈતિક રીતે પણ મરણિયો બન્યો છે; (“પિતાને મારનારાઓને ગમે તે રીતે મારીશ. એમ કરતાં આવતા ભવમાં કીડાને અવતાર લેવો પડશે, તે તે પણ લઈશ !”) અને કૃપાચાર્યું કે કૃતવર્મા બેમાંથી એકેમાં તેને રોકવા જેટલી અથવા તેની સાથે અસહકાર કરવા જેટલી સંકલ્પશક્તિ નથી, એટલે મહાભારતનું સૌથી વધારે બીભત્સ, જુગુપ્સિત અને કુત્સિત પ્રકરણ તેમને હાથે લખાવું શરૂ થાય છે. ૨૩. શિવનું ખ! પાંડવોના સુમસામ શિબિરના દ્વારથી ડેક દૂર અશ્વત્થામાએ પિતાને રથ ઊભો રાખ્યો. કૃપાચાર્ય અને કૃતવર્માએ પણ પિતા પોતાના રથ ત્યાં થોભાવ્યા. પછી કૃપ અને કૃતવર્માને ત્યાં જ ઊભા રહેવાનું કહીને અશ્વત્થામા, આગળ વધ્યો. શિબિરના દ્વાર પર તેણે એક અદ્ભુત પુરુષને ઊભેલે દીઠે. એ પુરુષ મહાકાય હતે. સૂર્ય અને ચંદ્ર જેવી તેની વૃતિ હતી. લોહીનીગળતું વ્યાઘચર્મ તેણે પહેર્યું હતું. મૃગચર્મથી દેહને ઉપરનો ભાગ તેણે ઢાંકેલો હતો. સર્પનું ય પવીત તેણે ધારણ કર્યું હતું. સુદીર્ધ અને માંસલ તેના અનેક બાહુઓમાં અનેક આયુધો ઝગારા મારતાં હતાં. હજારે વિલક્ષણ વિલચને વડે તે દીપ હતો. તેનાં નસકોરાંમાંથી, કાનમાંથી અને નેત્રોમાંથી અગ્નિની જવાળાઓ નીકળતી હતી. એટલી ભયાનક હતી તેની આકૃતિ, કે તેને જોતાંવેંત પર્વતે પણ ફાટી પડે ! પણ અશ્વત્થામા અત્યારે પર્વતથી વધુ કઠોર હતે. પાંડવોના શિબિરદ્વાર પાસે ઊભેલ એ અભુત પુરુષ પર તેણે બાણની વૃષ્ટિ કરી; પણ એ પુરુષ તે એ બધાં બાણોને જાણે ગ્રસી જ ગયે ! બાણોને આમ નકામાં જતાં જોઈને અશ્વત્થામા વધુ ઉશ્કેરાયે. સુદીપ્ત અગ્નિશિખા સમી પોતાની શક્તિ” (શક્તિ નામનું આયુધ) તેણે તે પુરુષ પર ઝીંકી; પણ એ શક્તિ પણ, યુગાન્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy