________________ બસ, અશ્વત્થામાને જોઈતું માર્ગદર્શન મળી ગયું. આ ઘુવડ મારે ગુરુ, તેને થયું. શત્રુઓનું જડાબીટ કાઢવાને કીમિયે તેણે મને બતાવ્યું. પાંડવોને અને તેમના અવશિષ્ટ પક્ષકારોને ઊંઘમાં જ વધેરી નાખવા. ઊંધતા શત્રુઓ પર ઘા કર એ અધર્મ છે એમ ભલે શાસ્ત્રા કહેતાં હોય, પણ મેં દુર્યોધન સમક્ષ પાંડવનાશની પ્રતિજ્ઞા કરી છે, અને પ્રતિજ્ઞાપાલન પણ એક ધર્મ જ છે ને! મનને છેતરવું કેટલું સહેલું છે તે આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે. અહીં અશ્વત્થામા જે નિશ્ચય કરે છે તે તેની ઝનૂની અને આંધળી વૈરવૃત્તિનું જ પરિણામ છે; પણ એ અળખામણા સત્યને તે “પ્રતિજ્ઞાપાલન” જેવા સોહામણા શબ્દની પાછળ સંતાડી દે છે. દુઃશાસનનું રુધિર પીવા જેવા અમાનુષી કૃત્યનો બચાવ ભીમે પણ આ “પ્રતિજ્ઞાપાલન” શબ્દમાં જ છે! અશ્વત્થામાની દલીલબાજી સાંભળોઃ “જો ધર્મયુદ્ધ કરવા જઈશ, તો હાથે કરીને પ્રાણુ ખોવાને પ્રસંગ આવશે. એ તે પતંગિયું સામે ચાલીને અગ્નિમાં ઝંપલાવે એવું થવાનું ! બીજી બાજુ, છાના ર મવેત્ સિદ્ધિ: - કપટને આશ્રય લેતાં કામયાબી હાંસલ થાય છે અને દુશ્મનોને નાશ સધાય છે. શાસ્ત્રકુશલ જનોનો મત એવો છે કે શંકાસ્પદ નહિ, પણ નિઃશંક માર્ગ લેવો. ક્ષાત્રધર્મનું પાલન કરતાં નિન્જ કર્મ કરવું પડે તો તે પણ કરવું” - વગેરે. અશ્વત્થામાની આ દલીલે પ્રમાણે તે ચંગીજ - તૈમૂરથી માંડીને હિટલર સુધીના જગતના બધા જ માનવસંહારકે “ધર્મપરાયણ’ ઠરે! ઘુવડને અનુસરવાનો નિશ્ચય કરીને અશ્વત્થામાએ પોતાના બે સાથીઓને, કૃપાચાર્ય તેમ જ કૃતવર્માને, જગાડ્યા. અશ્વત્થામાને નવું લાધેલું જ્ઞાન સાંભળીને તેઓ “લજ્જિત” થઈ ગયા. - “પાંડવો સાથે વેર બાંધવાનું પરિણામ વિનાશ જ આવવાનું છે, એ અંગે દુર્યોધનને આપણે સૌએ વારંવાર ચેતવ્યો હતે,” કૃપાચાર્યું ભાણેજને સમજાવવા પ્રયત્ન કર્યો, “પણ એણે કોઈનું માન્યું નહિ, અને આપણે એ પાપિયાને (પાપપુરુષને) પગલે ચાલ્યા. આપણાં દુષ્કર્મોનું ફળ અત્યારે આપણે ભેગવી રહ્યા છીએ, તેમાં તે વળી આ નવું તૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com