________________ તેમણે ત્યાં સંપાસના કરી. (ગમે તેવાં અમાનુષી કૃત્યોની વચ્ચે પણ સંધ્યાવંદન આદિ ઔપચારિક ધર્મને કઈ ચૂકતું નથી !). તે પછી આખા જગતને ધારણ કરનારી, પોતાના ખોળામાં રમાડનારી રાત્રિ પૃથ્વી ઉપર ઊતરી; અને ગ્રહ, નક્ષત્રો અને તારાઓ વડે અલંકૃત આકાશ “અંશુક - જર' પેઠે, ટીપકી- ભરત ભરેલા કઈ રેશમી વસ્ત્રની પેઠે શેલવા માંડયું.” આવા આકાશની નીચે, પેલા ચોધ વૃક્ષની પાસે એ ત્રણે જણા હમણાં જ સમાપ્ત થયેલ યુદ્ધને વિચાર કરવા લાગ્યા. અત્યંત થાકથી, તેઓ અકળાયેલા હતા. અનેક બાણે વડે વીંધાયેલા હતા. અને છતાં, વૃદ્ધ કૃપાચાર્ય તેમ જ પ્રૌઢ કૃતવર્મા, બન્નેને જંગલની એ નગ્ન જમીન પર ઊંધ આવી ગઈ. (એ બેમાંથી એકેયને અંગત વેરની લાલસા નહોતી, એ પણ એક કારણ હશે, તેમને આટલી જલદી ઊંઘ આવી જવાનું!) પણ અશ્વત્થામાની સ્થિતિ જુદી હતી. ઊંઘ તેનાથી આથી ભાગતી હતી. ક્રોધથી સળગતાં નેત્રે વડે અનેક પ્રકારનાં પ્રાણીઓવાળા વનને તે વિલોકળ્યા કરતો હતો. ચોષ વૃક્ષ પર કાગડાના અનેક માળા હતા. કાગડાઓ સૌ પોતપોતાના માળાઓમાં નિર્ભયતા અને નિરાંતની નિદ્રા માણી રહ્યા હતા. . એટલામાં ભયંકર દેખાવના એક ઘુવડને અશ્વત્થામાએ જે. કર્કશ તેને અવાજ હતે. લીલાં તેનાં નેત્રો હતાં. પીળાં તેનાં ભવાં હતાં. લાંબા અને તેણે તેના નહાર હતા. ગરુડ જેવો તેને વેગ હતે. ઘુવડે રાત્રિની શાન્તિમાં નિઃસંશયપણે સૂતેલા પેલા કાગડાઓના માળા, એક પછી એક, ચૂંથવા માંડ્યા. જાગીને ચીસ પાડી શકે તે પહેલાં જ તેણે કાગડાઓને, એક પછી એક, ખતમ કરવા માંડ્યા. કોઈની પાંખો તેણે પીંખી નાખી, કેાઈની ડોક તેમણે મરડી નાખી, તે કોઈના. પગ તેણે ભાંગી નાખ્યા. આમ થોડીક જ વારમાં પોતાના દષ્ટિપથમાં આવતા બધા જ કાગડાઓને ઘુવડે કચ્ચરઘાણ કાઢી નાખે; અને ગ્રોધ વૃક્ષની ઘેરી ઘટા અને તેની નીચેની ધરતી હણાયેલા કાગડાઓના છિન્નભિન્ન અસંખ્ય અવયવોથી આચ્છાદિત થઈ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com