SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ માગી માગીને પણ, મરુસ્થલીમાં વસતો ઉત્તક જે ભોળા ભટાક મુનિ વરદાન લેખે શું માગે ? ઉત્તક પિતાને તરસ લાગે ત્યારે પાણી તત્કાળ હાજર થઈ જાય એવું વરદાન માગે છે, અને કૃષ્ણ “તથાસ્તુ' કહીને દ્વારકા ભણું વિદાય થાય છે. ર૭૩. અભાગિયે અમૃતને આધું ઠેલે છે હવે જે પ્રસંગ આવે છે તે ક્ષેપક હોય કે મૂળ હોય, પણ સાચા મોતી જેવો છે. મહાભારતમાં એકંદર રીતે જે ભવ્ય ભારતીય સંસ્કૃતિનું કાવ્યાત્મક ગાન છે, તેને એક માર્મિક અને મારી અંશ એમાં જોવા મળે છે. કૃષ્ણ પાસેથી “તું તરસ્યો થઈશ ત્યારે પાણી તારી સામે પ્રગટ થશે,” એવું વરદાન પામ્યા પછી ઉત્તક એકવાર પોતાના આશ્રમ પાસેની મરભૂમિ પર ફરતા હતા ત્યાં તેને તરસ લાગી. હવે મહાભારતના જ શબ્દોમાં કથા આગળ ચલાવીએઃ ततः कदाचिद् भगवान् उत्तकस्तोयकांक्षया । तृषितः परिचक्राम मरौ सस्मार चाच्युतम् ॥ ભગવાન ઉત્તક પાણીની આકાંક્ષાથી મરુભૂમિમાં ફરતા હતા ત્યાં તેમને (સમાર અચુતમ્) કૃષ્ણની—અય્યતની–યાદ આવી.” કૃષ્ણ અચુત તરીકે પ્રસિદ્ધ હતા. એમને બોલ કદીયે મિથ્યા ન થાય એવી. એમની ખ્યાતિ હતી, અને એવી ઉત્તકને શ્રદ્ધા હતી. અયુતની આ સ્મૃતિની સાથે જ ઉત્તકે ततो दिग्वाससं धीमान् मातंगं मलपंकिनम् । अपश्यद् मरौ तस्मिन् श्वयूथ-परिवारितम् ॥ પછી તે બુદ્ધિમાને નિર્વસ્ત્ર અને કીચડથી ખરડાયેલ એક માતંગનેચાંડાળને-જે; ચાંડાળ કૂતરાઓના સમુદાયથી વીંટળાયેલું હતું.” કૂતરે મહાભારતમાં ધર્મનું પ્રતીક છે અને એ જ કૂતરે મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy