________________
૧૧૨
ઉપર ! પછી મણ શેષ સમલિઃ અને ત્રાટ્ રાસરોચન થઈને એ જે ખાલે છે તે સાંભળેા :
“તું સમર્થ હતા, છતાં સંબધીઓને એકમેક સાથે લડીને કપાઈ મરતાં તેં ન બચાવ્યા, તેથી હુ' તને શાપ આપુ છુ.
""
અહીં ઉત્તંક કૃષ્ણને મિથ્યાવાઃ- ભી પણ કહે છે. સ્પષ્ટ જ છે કે શ્રીકૃષ્ણની શુદ્ધ નિષ્ઠામાં તેને વિશ્વાસ જ નથી : તેના bonafides જ તે સ્વીકારતા નથી !
કૃષ્ણની સમતલતાની આ પણ એક કસેાટી છે. થેાડા જ દિવસે પહેલાં સમવં યોગ . ગુજ્યતે એમ કહીને જે યાગશાસ્ત્ર તેમણે અર્જુનને ગીતા દ્વારા પ્રમાધેલ છે તે તેમનામાં પૂરેપૂરું ઊતર્યુ ́ છે તે આ પ્રસંગ પરથી દેખાઈ આવે છે.
ઉત્તકના આવાં અબૂઝ અને ઉશ્કેરાટભર્યા વચા સાંભળવા છતાં કૃષ્ણ શાંત રહે છે; અને કંઈક ગાંભીર્યું ભાવે અને કંઈક વિનાદમાં ઉત્તકને તે કહે છેઃ
•
જીવનભર મથીમથીને મહામહેનતે થાડીઘણી જે તપની મૂડી આપે ભેગી કરી છે, તે મને શાપ આપવાની પાછળ નાહક વેડફી ન નાખજો! એથી મારુ· કશું જ અકલ્યાણુ થવાનું નથી, પણ આપની તેા આખીયે જીવનસમૃદ્ધિ લૂંટાઈ જશે! માટે પહેલાં મેં શું શું કર્યું અને હું શાં શાં કારણેાએ નિષ્ફળ નીવડયો એ બધુ... સાંભળી, સમજી લા, અને પછી આપને જે કરવું ઘટે તે કરે ! ”
:
શ્રીકૃષ્ણનું નિવેદન સાંભળતાંવેંત ઉત્તકને સત્યનું દર્શન થાય છે. આવા મહાન આત્માને શાપ આપવાના વિચાર સરખા પેાતાને આવ્યા તે બાબત એ ભાંઠપ પણ અનુભવે છે, અને પછી સામે છેડે જઈને શ્રીકૃષ્ણની તે પ્રાર્થના કરે છે, અર્જુનની પેઠે
દ્રષ્ટમિચ્છામિ તે મૈશ્વરમ્ વગેરે.
અને કૃષ્ણ એના બાળપણની કદર કરીને એને પેાતાના વિશ્વરૂપનુ દર્શન કરાવે પણ છે; એટલું જ નહિ પણ વરં ઘૃળીષ્ન એમ કહીને એક વરદાન માંગી લેવાનુ પણ કહે છે!
34
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com