________________
1. પછી બધાયને આલિંગન આપીને મૌન ધારણ કરે છે, અને પછી
ગૃત થઈને તેમને આત્મા, તેમના શરીરનાં વિવિધ અંગોને ક્રમશઃ ત્યાગ કરવા માંડે છે. અને સૌને દેખતાં એક આશ્ચર્ય સરજાય છેઃ
यद् यद् मुञ्चति गात्रं हि तत् तद् विशल्यं भवति ... જે જે અંગોને આત્મા ત્યાગ કરે છે, તે તે અંગે ભોંકાયેલાં બાણોથી મુક્ત થઈ જાય છે......
અને આ બધી પ્રક્રિયા એટલી ત્વરાથી થાય છે કે એક ક્ષણમાં તે પિતામહનું આખું શરીર “વિ-શલ્ય બની જાય છે. - પિતામહને આત્મા તેમના મસ્તકને ભેદીને સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે અને પછી થોડીક જ વારમાં અદશ્ય થઈ જાય છે, કેઈ મહાન દીપશિખાની પેઠે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય છે.
દેવદુંદુભિ વાગવા માંડે છે, સિદ્ધો અને બ્રહ્મર્ષિએ ધન્ય! ધન્ય! એવા પોકારે કરે છે.
પછી પાંડવો અને વિદુર અને યુયુત્સુ પિતામહ માટે ચિતા ખડકે છે. અન્ય સૌ પ્રેક્ષકવત્ ઊભા રહે છે.
યુધિષ્ઠિર અને વિદુર પિતામહના દેહને પુષ્પથી અને રેશમી વસ્ત્રોથી -ઢાંકી દે છે.
યુયુત્સુ એને છત્રની છાયા કરે છે.
ભીમસેન અને અર્જુન શ્વેત ચામર અને વ્યજન (જણ) લઈને ઊભા રહે છે.
માદ્રીપુત્રો તેમના મસ્તક પાસે ઊભા રહે છે. કૌરવકુલની સ્ત્રીઓ તાલવૃન્ત વડે વાયુ ઢોળે છે. વિધિપૂર્વક સામગાન ગવાય છે. ચિતા ચેતાવીને પછી ધૃતરાષ્ટ્ર વગેરેએ એની પ્રદક્ષિણા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com