SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ દ ઈને તેમ જ ક્ષાત્રધર્મને અનુસરીને પ્રજાનુ પાલન કર. એમાં જ હવે તારું શ્રેય છે. જા, જાએ બંધા......પણ એક વાત સ્મરણમાં રાખો. ઉત્તરારણના આર ંભ થાય એ દિવસે બધા ફરી અહીં આવજો.’’ ૨૬૯. પચાસ રાત્રિએ વીત્યા પછી હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યા પછી યુધિષ્ઠિરે પહેલાં તો જે નગરજના અને ગ્રામજને ખરખરે આવ્યા હતા હતા, તેમને સૌને પોતપાતાને સ્થાને મેકલી આપ્યા; અને જેમના પત્તિ યુદ્ધમાં ખપી ગયા હતા. એવી સ્ત્રીઓને તેણે ત્રિપુō: અર્થ નૈઃ આશ્વાસન આપ્યું. આજે પણ આપણે આ જ કરીએ છીએ ! ) પછી રાજા તરીકે બ્રાહ્મણાના આશિષ સાથે વિધિપૂર્વક અભિષિક્ત થઈને તેણે મંત્રીઓ તથા અમાત્યાને તથા અન્ય રાજસેવકાને સ્વસ્વસ્થાને શાસન અ માકલી આપ્યા. આ પછી પચાસ રાતે વીતી અને ભીષ્મ નિર્દે શેલ સમય આવી પહેાંચ્યા.. એટલે પિતામહના અંત્યેષ્ટિ સ`સ્કાર માટે જોઈતી વસ્તુ – ઘી, પુષ્પા, ચન્દનકાષ્ઠ, અગુંરું, રેશમી વસ્રા વગેરે કુરુક્ષેત્ર ભણી રવાના કરીને પોતે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુન્તી, પેાતાના ચાર ભાઈઓ, કૃષ્ણ, વિદુર, યુયુત્સુ, અને સાત્યકિ તેમ જ અન્ય રાજપુરુષોને સાથે લઈને, અને ભીષ્મના અગ્નિહેાત્રના અગ્નિને આગળ કરીને હસ્તિનાપુરથી નીકળ્યા. કુરુક્ષેત્રમાં પિતામહની શરશય્યા પાસે તે પહેાંચ્યા ત્યારે તેણે જોયુ તા વ્યાસ, નારદ, દેવલ, અસિત આદિ ઋષિએ અને હતરોધ ક્ષત્રિયાપ્રણી હજુ ત્યાં જ હતા. પિતામહને વંદન કરીને યુધિષ્ઠિરે તેમને કહ્યું : “ સાંભળેા છે ને? આપના · અગ્નિ’ને લઈને અમે આવી ગયા છીએ. આ હું યુધિષ્ઠિર, આ આપના પુત્ર ધૃતરાષ્ટ્ર, આ મારા ચાર ભાઈ, આ વાસુદેવ, આ મત્રીએ અને અમાત્યા, આ યુદ્ધના સંહારમાંથી ઊગરી ગયેલ ક્ષત્રિયવી રા ...સૌ આપની વત્સલ કરુણાદષ્ટિની વાટ જોઈ રહ્યા છે. આંખો ઉઘાડે!, વડીલ, અને અમને આશિષ આપે. આપે આ સમય માટે જે વ્યવસ્થા કરવાની કહી તે બધી થઈ ગઈ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy