SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૬૭. પૂરક પ્રશ્નોત્તરી હવે પછી જે પ્રશ્નો યુધિષ્ઠિર કરે છે તેની પાછળ કોઈ મિક યોજના દેખાતી નથી. જ્ઞાનના અને અનુભવના ભંડાર એવા વડીલ પાસે રોજ છેડા છેડા કલાક એને ગાળવાના છે. એટલે જે જે વિષય વિષે એને કુતૂહલ કે જિજ્ઞાસા છે, તેમાંથી જે વખતે જે સ્કુરે તે વખતે તેને રજૂ કરે છે, અને પિતામહ તે પ્રશ્ન ઉપર પિતાની લાક્ષણિક રીતે અજવાળું પાડે છે. મૃત્યુને જીતવું શક્ય છે કે કેમ,–તે વિશેનું પિતાનું કુતૂહલ તૃપ્ત થયા પછી યુધિષ્ઠિર એક બીજો સવાલ પૂછે છે: વિશ્વામિત્રને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ એક જ જન્મમાં શી રીતે થઈ ? અને ભીષ્મ વિશ્વામિત્રની સુપ્રસિદ્ધ કથા એને સંભળાવે છે; અને આ પછી આ પર્વ પણ, આ પહેલાંના શાંતિપર્વની પેઠે જુદા જુદા વિષયની છૂટીછવાઈ ચર્ચામાં સરી પડે છે. એ બધી ચર્ચાની ટૂંકી નેંધ પણ અહીં આપવા બેસીએ તે કથા ખોળે બે જ પડી જાય. એટલે શાંતિપર્વની પેઠે એના વિષયોની યાદીથી જ પતાવીએ છીએ. સુકાઈ ગયેલ વૃક્ષને વળગી રહેલ પક્ષીના દષ્ટાંત દ્વારા સૌજન્ય અને કૃતજ્ઞતાને મહિમા. દૈવ કરતાં પુરુષાર્થ મહાન છે. કર્મનાં ફળોનું વર્ણન. ઉત્તમ બ્રાહ્મણોનું માહાભ્ય. બ્રાહ્મણને દાન દેવાની પ્રતિજ્ઞા કર્યા પછી આપવાનો ઇન્કાર કરે તે કચેરી બરાબર છે. અનધિકારીને ઉપદેશ ન આપવા વિષે.. લક્ષ્મી કેવા પુરુષોમાં વસે છે? કેવી સ્ત્રીમાં ? રતિસુખ સ્ત્રીને વધારે સાંપડે છે કે પુરુષને ? કૃતનની ગતિ. એને માટેનું પ્રાયશ્ચિત્ત. ૧ વાચિક, માનસિક અને કાયિક પાપને પરિત્યાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy