SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૮ મે.—મનસુખ તરફથી કેશવને, ૮૩ ડાઘા વિનાને છેજ નહિ. આથી બીજે દિવસે તે છબી તેજ જગાએ મૂકી; અને નીચે લખ્યું કે, “જે કોઈ જોનારને આનો કોઈ ભાગ કે આકૃતિ બહુ સરસ લાગે તેણે તે ભાગ કે આકૃતિપર આ પાસેની પીંછીથી ચિહું કરવું.” સાંજે ચિતારાએ આવીને જોયું તે જણાવ્યું કે, આખી છબી પહેલાં માફક ડાધાથી ખરડાઈ રહેલી હતી. જે ભાગને કાલે ધિક્કારનાં ચિહ થયેલાં હતાં તે દરેક ભાગને આજ પ્રશંસાના સર્ટિફીકેટ મળ્યાં હતાં ! આથી ચિતારે બોલ્યા: “ઠીક, હવે હું સમજે કે પિતાની યુક્તિમાં ફતેહમંદ થવાને શ્રેષ્ઠ ઉપાય એકજ છે--તે એ છે કે થોડાને સંતોષવા યત્ન કરો.” (9)જે માણસેના સંબંધમાં હું અત્યાર સુધી આવ્યું છું તેમની જૂદી જૂદી યુકિતઓ, દુનીઆદારીમાં ફાવવા કેવી ફોહમંદ થઈ છે તે યાદ લાવી, તેમાંની કેટલીક તારા જેવા ભોળીઆને ઉપયોગી જાણી અહીં લખું છું-- (૧) જે માણસ સાથે વાત કરતા હોઈએ તેનું મન જાણવું હોય તે, તેના માં સામી નજર રાખવી. ગમે તે ડો માણસ પણ, પિતાના અંતકરણને જે વાત છૂપાવવા ઈછા હોય, તે વાત ચહેરા મારફત પ્રગટ કરી દે છે. ચહેરે એ અંતઃકરણનું દર્પણ છે. પણ જ્યારે બીજા માણસના મેં સામું જોયા કરીએ તે વખતે ગંભીરતાને ઠેઠળ દેખાડવા વારંવાર આંખ નીચી ઢાળવી. ( ૨ ) આપણે કાંઈ તરત જરૂરનું કામ કોઈ પાસેથી કાઢી લેવાનું હોય તે તે માણસને બીજી આડી વાતોથી ખુશ કરવો. આથી તદન જૂલ પ્રકારના વિષય અને આનંદમાં ડૂબવાથી આપણુ દરખાસ્ત સામા કાંઈ વાંધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy