SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થ ડાબી બન્ને લાઈનમાં દહેરાં અને દહેરીને આવેલ જથ્થ વંદન-નમસ્કાર કરવા માટે તેમજ ઓળખાણ પડે તે માટે ક્રમવાર બતાવવામાં આવ્યું છે. ૧. ડાબા હાથ તરફ દહેરાસર ૧ શ્રી શાંતિનાથજીનું છે, જે દમણવાળા શેઠ હીરા રાયકરણે બંધાવેલું છે. અહીં સવે શ્રાવકે પ્રભુભક્તિ કરી ચૈત્યવંદન કરે છે. આ દહેરાસરની જમણી બાજુએ સીપાઈ લેકેના પહેરાની ઓરડી પાસે એક દહેરી છે તેમાં પાષાણના પ્રતિમાજી ૮ છે. ૨. આ દહેરીની ડાબી તરફ નીચાણમાં દેવી શ્રી ચકેશ્વરી માતાનું દહેરું છે, જે શેઠ કરમાશાએ સંવત ૧૫૮૭ માં ઉધ્ધાર કરી બંધાવી માતાજીને પધરાવેલાં છે. તેની પાસે દેવી શ્રી ચક્રશ્વરી નું નવું દહેરું શેઠ તારાચંદ સંઘવી સુરતવાળાનું બંધાવેલું છે. તેમાં પદ્માવતી વિગેરે દેવીની મૂર્તિ ૪ તથા માતાજીના દહેરામાં માનતાના તથા ઘીના દીવાના પૈસા નાખવાને ગુપ્ત ભંડાર છે. શ્રી ચકેશ્વરી દેવી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની અધિષ્ઠાયિકા મહાદેવી છે. ભાવિકજને અહીં દેવીની સ્તુતિ કરે છે. ૩. શ્રી ચકેશ્વરી માતાજીના દહેરાની પાસે આગળ જતાં એક દેરાસર શ્રી સુપાર્શ્વનાથજીનું આવે છે અર્થાત્ તેમાં મુળનાયક શ્રી સુપાર્શ્વનાથજી છે. તે દહેરાને વિમળવશીનું દહેરું કહેવામાં આવે છે અથવા નેમિનાથની ચેરીનું દહેરું પણ કહેવામાં આવે છે. વળી ભૂલવણી પણ કહેવાય છે, આ મંદિર સં. ૧૬૭૫ માં બંધાયું છે. જાલીમાં પછવાડે ઉપરાઉપર ત્રણ મુખજી છે. છેલ્લા નીચેના ચામુખવાળા ભાગમાં શ્રી નેમનાથજી ભગવાનની ચોરી પથ્થરની આળેખેલી છે, ઘુમ્મટમાં પશુઓનો પિકાર આળેખેલે છે. તેની સામે ભીંતમાં ભગવાન શ્રી નેમિનાથ તથા યાદવેને સમુહ (જાનમાં) બતાવાય છે. એક ઉપરના ખૂણે રામતીને એશીયાલે મુખે બતાવવામાં આવી છે. દહેરું રમણીય, દર્શનીય, આહલાદક છે. તે સિવાય સમવસરણ, ૧૭૦ જિન વિગેરેની રચના છે. આમાં પાષાણની પ્રતિમા ૩૪૯ પગલાં જડ ૩ અષ્ટમંગલિક ૨ તથા ગૌતમસ્વામીની મુતિ ૨ છે. ૪. આ દેરાસર પાસે ડાબી તરફ એક દેરી છે જેમાં પાષાણની ૩ પ્રતિમા છે. તેની પાસે પુણ્ય પાપની બારી છે. પ. આ પુણ્ય પાપની બારી પાસે નાની ભુલવણીમાં દેરી ૧૦ છે. તેમાં એક રરી ખાલી છે જેમાં ગુને વિગેરે રાખવામાં આવે છે. પાષાણની પ્રતિમા ૨૯ તથા પગલાં જેડી ૨ છે. ૬. આ ભુલવણીના બારણા પાસે દેરી ૧ પશ્ચિમ તરફ છે તેમાં પાષાણની પ્રતિમા પ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy