SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૫૩ : શ્રી શત્રુંજય શેઠ નરસી કેસવજીની ટૂંકમાં જવાને રસ્તે તથા ગોઠી લેકેને ઉતરવાની ઓર ડીઓ આવે છે. વિમળવશી, ડાબા હાથનાં દહેરાં વાઘણપોળના દરવાજામાં પ્રવેશ કરતાં હાથીપાળ સુધીના ભાગમાં આવેલાં , દહેરાંના વિભાગને “વિમળવશી' નામે ઓળખવામાં આવે છે. તેની જમણી અને જોખમે આ વાઘણને ત્રાસ દૂર કરે તેવો સમર્થશાળી પુરૂષ કોઈ ન નીકળ્યો. પરિણામે શત્રુંજયની યાત્રાએ જવાનું લગભગ અશકય જેવું બની ગયું. લોકે આ ઉપદ્રવમાંથી મુક્ત થવાને માર્ગ વિચારી રહ્યા હતા તેવામાં વીકમશી શત્રુંજયની તલાટીએ આવી પહોંચે. તેણે લોકોને વાત કરી, લોકોએ આ સાહસ ન કરવા કહ્યું. પણ મક્કમ મનને વિકમશી ન ડગ્યો. છેવટે લેકેએ સાથે જવા કબૂલ કર્યું. રામપળ લગભગ આવ્યા બાદ વીકમશીએ પોતાની સાથેની જનતાને કહ્યું કે હું રાડ પાડું ત્યારે માનવું કે વાવણ - મરાઈ છે. લોકે બધા ત્યાં સ્થિર થઈ ગયા અને વીર વિકમશી એકલો ધીમે ધીમે પગલાં પાડતો વાઘણુ સન્મુખ ચાલે. કેટલાય દિવસોના આંતરા બાદ પિતાનું ભક્ષ્ય આવતું નીહાળી શાંત નિદ્રા લેતી વાઘણ સચેત બની ગઈ. વાઘણ સિંહ કરતાં પણ ક્રર ને કપટી કહેવાય છે. વાઘણે ક્ષણ માત્રમાં પરિસ્થિતિ માપી લીધી અને જોવામાં વીકમશી નજીક આવ્યો તેવામાં છલંગ મારી તેના પર પિતાને પંજે પાડ્યો પણ વીકમશી આથી ગાંજો જાય તેમ ન હતું તેણે સૌ પ્રથમ તોલ કરી રાખ્યો હતો એટલે સહેજ પાછા હઠી જઈ સતતસુરતનથી પિતાને લુગડે વીંટાળેલો હાથ વાઘણના મોઢામાં બેસી દીધો. આથી વાઘણું વકરી અને પરસ્પર ઠંદ્વયુદ્ધ જામ્યું પણ પહેલવાન સરખા વીર વીકમશીએ વાઘણની કારી ન ફાવવા દીધી. સખ્ત પરિશ્રમ અને દાવપેચ પછી છેવટે વીકમશીને જયશ્રી વરી અને વાઘણને આત્મા પરલોક પ્રયાણ કરી ગયો. ઝપાઝપીને કારણે વિકમશી પણ સારી રીતે ઘાયલ થયો હતો. તેને પોતાને દેહ ઢગલે થઈ જતો લાગ્યો એટલે હતું તેટલું બળ એકત્ર કરી રાડ પાડી, રાડ સાંભળતાં જ રામપળના દરવાજે ઉભેલા લોકોએ હર્ષના પિોકાર કરવા પૂર્વક રતનપળ પ્રતિ દોટ મૂકી આવીને જુએ છે તે વીકમશીના દેહમાંથી રૂધિરની નીક વહી હતી. લોકોએ તેના અપૂર્વ અને તીર્થ ભક્તિના પ્રતિક સ્વરૂપ બલિદાન માટે તેને ધન્યવાદ આપો અને વીર વિકમશીને આત્મા સ્વર્ગે સંચર્યો. - વીર વીકમશીના કાયમી સ્મરણ માટે એક પાળીયે, જે સ્થળે વાઘણુને પોતે મારી તે જ સ્થળે ઉભો કર્યો છે જે અદ્યાપિ પર્યત રતનપોળની બહાર એક નાના વૃક્ષના ક્યારા પાસે મોજુદ છે અને વીર વીકમસીના પરાક્રમની ગાથા મૂક્યા ઉચ્ચારી રહેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy