________________
ઇતિહાસ ] [:૪૧:.
શ્રી શત્રુંજય ટસન સમક્ષ ૪૦ વર્ષને કરાર થયો, જેમાં રૂ. ૧૫૦૦૯) પંદર હજારને કરાર થયે. અને છેલ્લે કરાર ૨૬-પ-૨૮ થયે, જેમાં લખ્યું છે કે –
ગઢની અંદરના ભાગમાં કઈ પણ ટૂંકમાં નવું દેરાસર. બાંધવા નિમિત્તે ઠાકોર સાહેબને કાંઈ પણ રકમ લેવાને હક્ક રહેશે નહિ. હાલ જે મકાન વિદ્યમાન છે તે મકાનમાં હિતસંબંધ ધરાવનાર શખ્સના હક્કને બાધ નહિ આવતાં ડુંગરના કેઈ પણ ભાગને ઉપગ શ્રાવક કેમના સિદ્ધાંત વિરુદ્ધ કરવાની મનાઈ કરવામાં આવે છે. હાલમાં જે દેરાસરે ગઢની અંદર તેમજ બહાર વિદ્યમાન છે તે દેરાસર ઉપર કોઈ પણ જાતની કાંઈ પણ રકમ લેવાને દાવથઈ શકશે નહિxx x શ્રાવક કોમની કોઈ પણ વ્યક્તિને ડુંગર ઉપર જતાં કેઈ પ્રકારની હરકત કે હેરાનગતિ કરવામાં આવશે નહિ. તેમજ ગઢ આગળ અગર ડુંગર ઉપર જવાના રસ્તાની આજુબાજુ પાંચ વાર સુધીમાં કેઇ જગ્યાએ કાયમનું પિલિસ થાણું બેસાડવામાં આવશે નહિ.
ગઢમાં આવેલ સઘળી જમીન, ઝાડો, મકાને અને બાંધકામને ધાર્મિક તેમજ તેને લગતા હેતુઓ માટે ઉપયોગ કરવાને જેને કુલમુખત્યાર છે, અને ફરજદારી કારણે બાદ કરતાં, દરબાર તરફથી કોઈ પણ જાતની દરમિયાનગીરી કે દખલગીરી સિવાય ઉકત ધામિક મિલકતને વહીવટ કરવાને જૈનો હકદાર છે. * * * ડુંગર ઉપર ગઢની બહાર અને અંદરના મંદિરને વહીવટ નો દરબારની જરાપણુ દખલગીરી સિવાય કરશે. ડુંગર ઉપર અને ગઢની બહાર આવેલ પગલાંઓ, દેહરીએ, છત્રીઓ, કડે અને વિશ્રામસ્થાને જૈનોની માલિકીનાં છે. અને તેનું સમારકામ દરબારની રજાની અપેક્ષા સિવાય જેનો કરી શકશે. કુંડ અને વિશ્રામસ્થાનનો ઉપયોગ જન-નેતર સર્વને માટે ખુલે રહેશે. ઉપર કહેલા કુંડોમાં આવતાં કુદરતી ઝરણું એને દરબાર સારાં રાખશે અને વખતેવખત સમરાવશે.
આ રાજસાહેબના રાજ્યકાળમાં પણ જશકુંવર શેઠાણ ઉપરને ચેરીના તહેમાનો કેસ, બુટ અને બીડીને કેસ, શિવાલય અને પીરને પ્રશ્ન, શત્રુંજય ઉપરની મોટી તોપનો
, (જે તે વડે જેનોએ ગવર્નર સર ફીલીસ, જેમ્સ ફર્ગ્યુસન, રીચ ટેમ્પલ વગેરેને માન આપ્યું હતું ) તથા બારોટનો કેસ, ભીડભંજનના મકાન તરફની વડાની બાણ બંધ કરવી વગેરે પ્રસંગો બન્યા છે, - ઈ. સ. ૧૯૦૪ માં શત્રુંજય ઉપર બટાએ એક મુનિરાજના ખૂન માટે પ્રયત્ન કરશે અને તીર્થની આશાતનાને પણ પ્રયત્ન કરેલે, પરંતુ પૂજ્ય ગુરુમહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજના અથાગ પરિશ્રમ અને પ્રયતનથી એ મુનિરાજ બચી ગયા અને એ અમર આશાતના થતી અટકી ગઈ અને જૈન સપને જય થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com