________________
ઇતિહાસ ] : ૩૩ :
શ્રી શત્રુંજય સાથે તેમને ગાઢ સંબંધ હતો. જહાંગીર ગાદી પર બેઠે એ જ વર્ષમાં એટલે કે ૧૬૬૧ માં તેણે શાંતિદાસ શેઠને અમદાવાદની સૂબાગીરી આખ્યાને ઉલ્લેખ મળે છે. .
આ પછી શાહજહાંના સમયે તે શાંતિદાસ શેઠનાં લાગવગ. સત્તા અને વૈભવ વધ્યાં હતાં. સાથે જ જૈનધર્મની સેવા કરવાથી શાંતિદાસ શેઠની પ્રસિધ્ધિ જંનેમાં પણ ઘણું વધી હતી. સં. ૧૬૮૬માં શાહજહાંએ શાંતિદાસ શેઠ તથા શા. રતનસુરાને શત્રુંજય, શંખેશ્વર, કેસરીયાજી વગેરે તીર્થો તથા અમદાવાદ, સુરત, ખંભાત અને રાધનપુર વગેરે શહેરોનાં મંદિરોની રક્ષાને તથા શ્રીસંઘની મિલ્કતની વ્યવસ્થાને ખરીતે અપાયે હતે.
શાંતિદાસ શેઠે તીર્થનો વહીવટ સંભાળ્યો ત્યારે તીથાધિરાજ ઉપર મંદિરને ઘણે પરિવાર હતા અને ભારતવર્ષના જૈન સંઘમાંથી ઘણું યાત્રાળુઓ યાત્રાએ આવતા હતા. આ વખતે સૌરાષ્ટ્રમાં કાઠીઓનું જેર હતું. યાત્રાળુઓના જાનમાલની રક્ષા માટે ગિરિરાજની છાયામાં વસતા કાઠી-ગરાસીયા ત્યાં આવી ચુકી ભરતા હતા. બદલામાં યાત્રાળુઓ કાઠી-ગરાસીઆઓને રાજીખુશીથી ઈનામ આપતા હતા. દરમિયાન એક વખત નાડલાઈને સંઘ આવતાં લેવડ-દેવડમાં વાંધે પડ્યો. કાઠી-ગરાસીયાના નેતા હથિયાર લઈ સંઘને શેકવા આવી પહોંચતાં સંઘ સાથેના માણસોએ કાઠી–ગરાસીયાએને મારીને ભગાડી દીધા હતા. આ પ્રસંગ સં. ૧૬૯૦ માં બન્યો છે.'
આ પ્રસંગે બાદશાહ શાહજહાંજને પુત્ર મુરાદબક્ષ ગુજરાતને સૂબે હતે. તેણે શેઠ શાંતિદાસને પાલીતાણું ઈનામમાં આપ્યાનું ફરમાન જાહેર કર્યું હતું. બાદમાં એ જ મુરાદબક્ષ દિલ્હીને બાદશાહ બનતાં એ જ ફરમાન પુનઃ તાજું કરી આપ્યું હતું. તેમાં લખ્યું છે કે “ આગલી સનંદની રૂએ અમદાવાદના સૂબાના તાબાનું સોરઠની સરકારમાં આવેલું પાલીતાણુ પરગણું જેનું બીજું નામ ઈસ્ત્રીજા (શેત્રુ જ) પણું છે તે શાંતિદાસ ઝવેરીને ઈનામમાં આપેલું છે. ”
એટલે શાહી જમાનામાં આ તીર્થ અમદાવાદના નગરશેઠને અર્પણ થયું, પરંતુ વ્યવસ્થા શેઠજીના હસ્તે તેમના પાલીતાણાના માણસો દ્વારા થતી. પહેલાંને પ્રસંગ કે જેમાં સંઘના ચોકીઓએ કાઠી-ગરાસીઆઓને નસાડી મૂક્યા છે ત્યાર- પછી સં. ૧૭૦૭માં પાલીતાણાની વ્યવસ્થા રાખનાર કડવા દેશી મારફત ગારીઆ- ૧. આ પ્રસંગનું વર્ણન “ઐતિહાસિક રાસસંગ્રહ' ભા. ૪ માં છે.
૨. મુરાદનું ફરમાન અને પાછળથી તે બાદશાહ થયા તે સમયનું ફરમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે.
૩. પાલીતાણામાં આજુબાજુ ગરાસિયા ચેક કરવા આવતા. યાત્રાળુઓ તેમને ખુશી કરતા. પરંતુ જે સંધ પિતાની સાથે ચોકિયાતનું જૂથ લઈને આવતો તેને પાલીતાણામાં બીજા ચોકિયાતેની જરૂર ન રહેતી. આવો એક પ્રસંગ સત્તરમી સદીમાં અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com