SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ - ઇતિહાસ ] : ૨૫ : શ્રી શત્રુજય મંદિર પણ ઠીક કરાવ્યું. મમ્માણથી સુંદર આરસના ખંડ મંગાવી મૂલનાયકનું નવીન બિંબ તૈયાર કરાવ્યું. સમરાશાહના પિતા દેશલશાહ સંઘ લઈને સિધ્ધાચલજી આવ્યા. આ સમયે બીજા પણ અનેક સંઘે આવ્યા હતા, ઘણુઓએ પિતાની શક્તિ પ્રમાણે ગિરિરાજ ઉપર દેવકુલિકાઓ અને કેટલાકે ભવ્ય મંદિર બંધાવ્યાં. તેમાં સમરશાહે મુખ્ય મંદિરના શિખરને ઉધ્ધાર કરવા સાથે પ્રભુની દક્ષિણ દિશામાં અષ્ટાપદછનું નવીન ચૈત્ય કરાવ્યું. તેમના પિતા દેશલશાહે દેસલવસહી બંધાવી, પાટણના શા. લુંક તરફથી ચાર દેવકુલિકાઓ બંધાઈ, તથા સંધવી જેત્ર અને કૃષ્ણ સંઘવીએ આઠ દેરીઓ કરાવી. શા કેશવ તરફથી સિધ્ધકોટાકોટીનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યે. અનુક્રમે બધા સંઘની હાજરીમાં સં. ૧૩૭૧ના મહા શુ. ૧૪ને સોમવારે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયે. પ્રતિષ્ઠામાં તપાગચ્છની બૃહશાલિક શાખાના આચાર્ય શ્રી રત્નાકરસૂરિ વગેરે અનેક પ્રભાવિક આચાર્યો વિદ્યમાન હતા. શ્રી રત્નાકરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી તેમ શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધમાં પણ જણાવેલ છે. જુઓ आसन् वृद्धतपागणे सुगुरवो रत्नाकराहवा पुराऽयं रत्नाकरनामभृत्प्रववृते येभ्यो गणो निर्मलः ॥ તે સમાયાપુરજિત ઇતિ -િ बीपत्रयेकमितेषु १३७१ विक्रमनृपादद्वेष्वतीतेषु च ॥ प्रशस्तन्तरेऽपि" वर्षे विक्रमतः कुसप्तदहनैकस्मिन् १३७१ युगादिप्रभु । श्रीशबुजयमूलनायकमतिप्रौढप्रतिष्ठोत्सवम् ॥ साधुः श्रीसमराभिधत्रिभुवनीमान्यो वदान्यः क्षिती। श्रीरस्नाकरसूरिभिर्गणधरैर्यैः स्थापयामासिवान् ।। वक्रम संवत्सरे चन्द्रहयामीन्दु( १३७१ )मिते सति।। श्रीमूलनायकोद्धारं साधुः श्रीसमरो व्यथात् ॥ १२० ॥ ભાવાર્થ –૧૩૬૯માં કલિયુગના પ્રતાપથી જાવડશાહે સ્થાપેલ બિંબ (મૂલનાયકચ્છ)ને ઑોએ ભંગ કર્યો. ૧૩૭૧માં સાધુપુરુષ સમરાશાહે ભૂલનાયકને ઉહાર કર્યો. - શ્રી જિનપ્રભસૂરિજીના આ કથન મુજબ જાવડશાહના મૂલનાયકના બિંબને મુસલમાનેએ ખડિત કર્યું હતું અર્થાત્ લગભગ બાર વર્ષ સુધી મૂલબિંબ જાવડશાહનાં જ પૂજાયાં. બીજું મંત્રીશ્વર બાહડે મૂલમંદિરને જીર્ણોદ્ધાર કરાવેલ પરંતુ મૂલબિંબ તે જાવડશાહનું જ રહેલ. સમરાશાહે પણ મૂલનાયકના બિંબને ઉદ્ધાર કર્યો છે; જ્યારે બીજા મંદિરોને ઉદ્ધાર બીજાઓએ જ કરાવ્યો છે એમ સિદ્ધ થાય છે. સમરાશાહે મલમંદિર અને મૂલબિંબ નવાં કરાવ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy