SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથકા [જેન તીને નગરનાં શ્રેષ્ઠ નાગરિકે વડે પુજાતા પ્રભુને એક હજાર વર્ષ વ્યતીત થયાં (૫૦)ને વખતે ત્રણ કાળના જ્ઞાનથી યુકત પાદલિપ્ત ગણધરના આદેશથી કાંતિ પુરીમાંથી પરિકર રહિત દેવાધિદેવની મૂર્તિને રસથંભન માટે આકાશમાર્ગે મેળવીને નાગાર્જુન નામના યેગીન્ને પિતાના સ્થાનમાં આણી ( ૫૧-૫ર ) કૃતાર્થ થએલે ગી– નાથને અટવીમાં ભૂમિમાં મૂકીને ગયે અને રસથંભનથી થંભન નામનું તીર્થ થયું (૫૭) ઉગેલા વાંસની જાળની અંદર કંઠ સુધી ભૂમિમાં રહેલ અને ગાયનાં દૂધવડે સ્કૂપિત છે અંગ જેના એવી (આ પ્રતિમાનું) મનુષ્પાવડે કરીને યક્ષનામ કરાયું (૫૪) આ પ્રમાણે ત્યાં રહીને પૂજાતાં જિનનાથને પાંચસો વરસ થયાં ત્યારે ધરણેને કરેલ છે. સાનિધ્ય જેને અને જાણે છે સૂત્રને સાર જાણે એવા (૫૫) વળી દૂર કર્યો છે દુઃખને આપનારે રેમને સમૂહ જેણે એવા અભયદેવસૂરિએ અત્યંત મહિમાથી દીપનું તીર્થ પ્રકટ કર્યું (૫૬) મોટા મોટા મહિમાથી શોભતા ભગવાન ફરીથી કાંતિ પુરીમાં જશે. ત્યાં સમુદ્રમાં અને ઘણા ઘણા નગરમાં જશે (૫૭) આ પ્રતિમાનાં ભૂતકાળમાં અને ભવિષ્ય કાળનાં સ્થાને કહેવાને કહ્યું સમર્થ હેય? (ખરેખર જે તે હજાર મુખવાળે અને લાખ જીભવાળા હોય તે પણ કહેવાને સમર્થ નથી (૫૮) પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદજી, રેવતગિરિ, સમેતશિખર, વિમળગિરિ, કાશી, નાસિક, મિથિલા, રાજગ્રહી પ્રમુખ તીર્થોને વિષે (૫૯) યાત્રા કરવાથી–પૂજા કરવાથી અને પાર્થ પ્રભુની પ્રતિમાનાં દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે (૬) પાર્શ્વનાથ સ્વામીને વંદન કરવાની ભાવના માત્રથી એક માસના ઉપવાસનું ફળ મળે છે અને પ્રતિમાનાં દર્શન કરવાથી છ માસના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે (૬૧) વળી પ્રભુની દ્રષ્ટિમાં દેખાયેલે મનુષ્ય જે પુત્ર રહિત હોય તે બહુ પુત્રવાળે, ધન રહિત હોય તે સૌભાગી થાય છે (૬૨) પ્રભુ પ્રતિમાને નમન કરનાર મનુષ્યને અન્ય ભવમાં મૂખ પણું, ખરાબ સ્ત્રી, ખરાબ જાતિ, ખરાબ જન્મ, ખરાબ રૂ૫ અને દીનપણું થતું નથી (૬૩) અજ્ઞાન દેષથી મૂઢ થએલા લકે અડસઠ તીર્થની. યાત્રા કરવાને માટે ભમે છે છતાં તેનાથી પણ પાર્શ્વ પ્રભુને નમસ્કાર કરવાથી અનંતગણું ફલ મળે છે (૬૪) એક પુષ્પથી તીવ્ર ભાવથી પ્રભુ પ્રતિમાને જે પૂજે છે તે રાજાઓના સમુદાયના મસ્તકથી સ્પર્શ કરાયેલા છે ચરણે જેનાં એવો ચક્રવર્તી થાય છે. (૬૫) જે પ્રભુ પ્રતિમાની આઠ પ્રકારે પરમ ભક્તિથી પૂજા કરે છે તેના દ્રાદિ પદવીઓ હાથરૂપ કમળમાં રહેલી છે (૬૬) જે પ્રભુનાં શ્રેષ્ઠ મુકુટ, કુંડળ અને બાજુબંધ કરાવે છે, તે ત્રણે ભુવનમાં મુકુટ સમાન થઈને જલદી સિદ્ધિસુખ પામે છે (૬૭) ત્રણે ભુવનમાં ચૂડા રત્ન સમાન જેમનાં નેત્રને અમૃતની શલાકા, સમાન એવી આ પ્રતિમા જેણે દીઠી નથી તેઓનું મનુષ્યપણું નિરર્થક છે (૬૮) શ્રી સંઘાસ મુનિએ પ્રતિમાને લઘુકપ બનાવેલ છે પણ મેં તે મોટા કલ્પમાંથી અ૫ સંબંધને ઉદ્ધાર કરેલ છે (૬૯) જે આ કપને ભણે, સાંભળે અને ચિંતવન કરે તે કલ્પવાસીઓમાં ઇદ્ર થઈને સાતમે ભલે સિદ્ધિ પામે છે (૭૦) જે ફરી ગૃહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy