SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] ::૫૪૫ અહીંના ભવ્ય જિનમંદિરની મનોહર જિનમૂતિઓ બહુ જ આકર્ષક અને દર્શનીય છે. પદ્મપ્રભુજીના મંદિરમાં શ્રી વીર પરમાત્માને પારણું કરાવતી ચંદનબાલાની મૂતિ બહુ જ સુંદર છે. આ મંદિરમાં એક શાંત પ્રકૃતિવાળે સિંહ આવીને દર્શન કરી જાય છે. સાથે પિતે લખે છે કે અહીંના પદ્મપ્રભુના વિશાલ મંદિરમાં ભગવાન શ્રી મહાવીર દેવને ચંદનબાલાએ બાકુલા લહેરાવ્યાના પ્રસંગની મૂતિ અલાવધિ વિદ્યમાન છે, અહીં એક શાંત આકૃતિને ધારણ કરનાર સિંહ હંમેશાં આવીને પ્રભુને ભાવપૂર્વક નમે છે. ચંડપ્રદ્યોતે બધાવેલ કિલે ખંડિયેર હાલતમાં દેખાય છે. અહીંના વિશાલ જિનમંદિરોમાં રહેલી દિવ્ય પ્રતિમાઓ ભાવિકોને અપૂર્વ આહ્લાદ ઉપજાવે છે. પિતે યાત્રા કરવા ગયા હતા અને કૌશાંબી તથા કિલ્લે યમુનાની નજીકમાં જ છે. સોળમી શતાબ્દિમાં પૂર્વદેશમાં યાત્રાએ આવેલ કવિ હંસસમજી લખે છે કે “ચંદેરી નયરીથકી સો કેસ કેસંબી જમુના તટિ જે વસઈ નયર મન રહિઉં વિલંબી શ્રી પઉમરહ જનમભૂમિ દેખી હરખા જઈ ચઉસ બિંબરૂં પૂજન કરી ભાવના ભાવી જઈ. | ૨ | ચરમ જિણેસર પારણું એહૂઉં જીણુ ઠામિ ચંદનબાલ કરાવિવું એ પુહતી સિવગામ અર્થત કવિરાજના સમયે કૌશાંબીમાં ૬૪ જિનમૂર્તિઓ હતી. આ સિવાય પં. શ્રી જયવિજયજી લખે છે કે-“કૌશાંબીમાં બે જિનાલય, પદ્મપ્રભુના જન્મસ્થાને પાદુકા, બકુલાવિહાર અને ધજા શાલિભદ્ર સરોવર છે. જિનભવન દેય દીપતાં બિંબ તિહાં દસ ગ્યાર સોઈ ષ સંધ્યાયઈ ભતાં પંચ કોસ કસબી પલાઈ શ્રી જિનઘર દેય અતિ ભલાં બિંબ તેર ઘણું પુણ મીલઈ પદ્મપ્રભજિન પાદુકાએ કીજઈ તસ પ્રણામ, શાલિભદ્ર ધન્નાતણુઉ જુઉ સરોવર અભિરામ. ચંદનબાલા બાકુલાએ વીર જિણેસર દીધ; બાકુલવિહાર તિહાં હુક્લ નિર. રણમલ લેક પ્રસિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy