________________
કૌશાંબી
૫૪૪ :
[ જૈન તીર્થોને
આવશ્યક સૂત્રમાં લખ્યું છે કે-કૌશાંબી યમુના કાંઠે છે. આ નગરીને ગઢ ચંડપ્રદ્યોતે બંધાવરાવ્યું હતું. ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્રમાં ઉજજેનીથી સો કોશ દૂર કૌશાંબી હોવાનું લખ્યું છે.
વિક્રમની ચૌદમી શતાબ્દીમાં થયેલ જિનપ્રભસૂરિજીએ લખ્યું છે કેશતાનીક રાજાના પુત્ર મહારાજા ઉદાયન અહીં થઈ ગયા, જેઓ સંગીતમાં અપૂર્વ કુશલતા ધરાવતા હતા.
મૃગાવતી રાણીએ પ્રભુ શ્રી મહાવીર દેવના ઉપદેશથી પ્રતિબંધ પામી અહીં ભાગવતી દીક્ષા લીધી હતી.
ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આ ભૂમિને ઘણીવાર પિતાના વિહારથી પવિત્ર કરી છે. એક વાર તેમને સૂર્ય અને ચંદ્ર મૂલ વિમાનથી વંદના કરવા આવ્યા હતા. આ વખતે સમવસરણમાં સાધ્વી મૃગાવતી બેસી રહ્યાં. સૂર્યચંદ્ર પિતાના સ્થાને ગયા પછી મૃગાવતી સાધી ઉપાશ્રયે ગયાં; પરન્તુ મોડું થવાથી તેમનાં ગુરૂણીજી ચંદનબાલાએ ઠપકો આપે. આ માટે પશ્ચાત્તાપ કરતાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.
બાદ ચંદનબાલાના સંથારા પાસેથી જતા કાળા નાગને જ્ઞાનથી જોઇ ચંદન બાલાનો હાથ સંથારા બહાર હતું તે ઉપાડી સંથારામાં મૂક્યા. આથી ચંદનબાલા જાગી ગયા અને પિતાને હાથ ઉપાડવાનું કારણ પૂછ્યું. મૃગાવતીએ સાચી હકીકત જણાવી, ચંદનબાલાએ પડ્યું–તે કેમ જાણ્યું?મૃગાવતીએ કહ્યું-જ્ઞાનથી. ગુરૂજીએ પૂછયું–પ્રતિપાતિ કે અપ્રતિપાતિ? મૃગાવતી-અપ્રતિપાતિ. આ સાંભળી આર્યા ચંદનબાલાને આશ્ચર્ય થયું. મેં કેવલીની આશાતના કરી? આમ પશ્ચાત્તાપ કરતાં તેમને પણ કેવલજ્ઞાન થયું. અંતે સર્વ કર્મોને ક્ષય કરી મલે પધાર્યા.
ભગવાન શ્રી મહાવીર દેવે છદ્મસ્થપણામાં અહીં પધારી પોષ વદિ એકમે મહાકઠિન અભિડ ધારણ કર્યો હતો અને છ મહિનામાં પાંચ દિવસ બાકી હતા ત્યારે મહાસતી ચંદનબાલાના હાથથી પારણું થયું હતું. આ આખાયે ભવ્ય પ્રસંગ આ નગરીમાં જ બન્યા છે. પ્રભુના પારણા પ્રસંગે પાંચ દિવ્ય પ્રગટ થયા તેમાં જે ઠેકાણે વસુધારાની વૃષ્ટિ થઈ ત્યાં વસુધાર ગામ વસ્યું. પ્રભુનું પારણું જેઠા શુદિ ૧૦ મે થયું છે ત્યારથી જેઠ સુદ ૧૦ મે તીર્થયાત્રા, તીર્થનાન-દાનપુણ્યની વગેરે પ્રવૃત્તિ ચાલુ થઈ.
છઠા પદ્મપ્રભુજીનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ, આ ચાર કલ્યાણક અહીં થયા છે. વિવિધ તિર્થંકલપકારના સમયે નીચેના સ્થાને વિદ્યમાન છે.
અહીં યમુના નદીના કિનારે કે સંબના વક્ષે વિપુલ પ્રમાણમાં તેમજ બગીચા ઉદ્યાન ઘણાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com