________________
ઇતિહાસ ] : ૧૯ :
શ્રી શત્રુંજય જઈ મંદિર બંધાવ્યું હતું અને જીર્ણ થયેલા ભાગને ઉદ્ધાર કરાવ્યા હતા. આ બપ્પભટ્ટસૂરિજીએ શ્રી ઉજજૈન તીર્થ તથા ગિરનાર તીર્થની રક્ષા કરી શ્રી જૈન શ્વે સંઘને સુપ્રત કરાવ્યું હતું. ગિરનાર તીર્થ પણ શત્રુજ્યનું જ એક શિખર છે. રાજા આમે ગિરનાર ઉપર પુષ્કળ દ્રવ્ય ખચ જીર્ણોધ્ધાર કરાવ્યું હતું. આ રાજાએ સૂરિ છના ઉપદેશથી ગોપગિરિ વાલીયર)માં ૨૩ હાથ પ્રમાણવાળું શ્રી વીર ભગવાનનું શ્રેષ્ઠ મદિર કરાવ્યું. ત્યાં સવા લાખ સોનામહોર ખરચી એક ભવ્ય મંડપ કરાવ્યું. આ સિવાય બીજું એકસો હાથ ઊંચું મંદિર બનાવરાવ્યું હતું, જેમાં નવ રતલ પ્રમાણુ શુધ્ધ સુવર્ણની પ્રતિમા સ્થાપી હતી. સૂરિજી વિ. સં. ૮૯૫ માં સ્વર્ગવાસી થયા હતા. આમ રાજા અને સૂરિજી મહારાજ સંઘ સહિત ૮૯૦ માં સિધ્ધાચલજી વગેરે તીર્થોની યાત્રાએ ગયા હતા. આ જીર્ણોધ્ધારને પણ એ સમય સમજે. બાહડ મંત્રીશ્વરને ચૌદમો ઉદ્ધાર
જાવડશાહના ઉધ્યાર પછી આ તીર્થને માટે અને મુખ્ય ઉધ્ધાર ગુજરાતના પરમ પ્રતાપી પરમાર્ડતપાસક મહારાજા કુમારપાલના મંત્રીશ્વર બાહડે કરાવ્યું હતે. પ્રભાવક ચરિત્રમાં લખ્યું છે કે
શ્રીમાન વાટ મંત્રીએ તીર્થનો (સિધ્ધાચલજી) ઉધ્ધાર કરાવ્યું તેમજ અત્યંત ભક્તિથી દેવકુલિકા સહિત એ પ્રાસાદમાં ધનને વ્યય કરતાં તેણે લેશ પણ દરકાર ન કરી. પછી વિક્રમ સંવત ૧૨૧૩માં આનંદપૂર્વક ઉપર જઈને તેણે વજાપણ કરાવ્યું અને શ્રી હેમચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ”
“ફિરજિસુવિર્ષ (૧૨૧૩) જ દવા દાષાપત્તા
प्रतिमां सप्रतिष्ठां स, श्रीहेमचन्द्रसूरिभिः ॥” । આ જીર્ણોધ્ધારમાં બાહડ મંત્રીએ એક કરોડ અને સાઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
“ દિક્ષપુતા કોરી, પિતા વત્ર મft..
___स श्रीवाग्भटदेवोऽत्र, वणर्यते विबुधैः कथम् ?" કુમારપાલ પ્રબન્ધમાં બાહડના આ જીર્ણોધ્ધારમાં ૨૭,૦૦,૦૦૦ રૂપિયાને ખર્ચ થયાનું લખ્યું છે.
પ્રબન્ધચિન્તામણિ અને કુમારપાલપ્રબન્ધમાં આ તીર્થના બાહડ મંત્રીના જણેપ્યારનું વિગતવાર વર્ણન છે ત્યાંથી વાંચકેએ વાંચી લેવું. સંક્ષેપમાં વાત એમ છે કેબાહડના પિતા મંત્રીશ્વર ઉદાયન સમ્રા કુમારપાલની આજ્ઞાથી સૌરાષ્ટ્રમાં યુદ્ધ માટે
૧. કુમારપાલ પહેલાં ગુજરાતના રાજા સિદ્ધરાજે સિદ્ધગિરિની યાત્રા કરી હતી અને દેવપૂજનાદિ તથા તીર્થરક્ષા આદિ નિમિત્તે બાર ગામ અર્પણ કર્યા હતાં. આ પ્રસંગ ૧૧૭૯માં બન્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com