________________
-
*
સુલતાનગંજ
: ૪૯૮ :
|| જૈન તીર્થોને
દાળ ૬ “પટણાથી કોસ પચાસ રે વિકુંઠપુરી શુભ વાસ રે, શ્રાવક સેવે જિનરાજ રે દેરાસર વદ્યા પાજ રે. ૧ તિહાંથી દશ કેસે જાણું રે ગામ નામે ચાડવખાણું રે, ભગવંતદાસ શ્રીમાલરે નિત પૂજા કરે સુવિશાલરે. ૨ દેરાસર દેવ જુહાર રે વલી રયણની પ્રતિમા નિહાળી રે, વંદી જિનજીના પાય રે જસ વદ્યા શિવસુખ થાય છે. ૩ ગંગાજીની મધ્યભાગ રે એક ડુંગરી દીસે ઉદારરે, તિહાં દેહરી એક પવિત્ર રે પ્રતિમા જિન પ્રથમની નિત રે. ૪ કહે છાપદની રીત રે ગંગા મધ્ય થઈએ પ્રીત રે, મિથ્યાતિરનાન વિચાર રે માંને ઉરવાહે નિરધાર રે. ૫ તિહાંથી દક્ષિણ કેસ ત્રીસરે જહાં વૈજનાથ છે ઇસ રે, કાવડી ગંગા નીર રે લેઢાઈ લઈ શ૨ રે. ૬ તે જહાં ગિરાંથી મારગજ બજાય રે દસ કેસે મારગ થાય રે,
ચંપા ભાગલપુર કહેવાય છે, વાસુપૂજય જન્મ જીહાં ઠરે. ૭ કવિશ્રીનું આ કથન અક્ષરશઃ સત્ય છે. જે ચાડવખાણ ગામ લખ્યું છે તે જ -અત્યારનું સુલતાનગંજ છે. પટણાથી લગભગ ૬૦ કેસ થાય છે. ગંગાની વચમાં ટેકરી-નાનો પહાડ છે. જેને અષ્ટાપદની ઉપમા આવી છે તે જ પ્રમાણે અત્યારે છે. આદિનાથ પ્રભુનું એ સુંદર જિનમંદિર છે. માત્ર મૂત અને શ્રાવકનાં ઘર નથી. તેને બદલે મંદિરમાં શિવલિંગ છે. હેડી દ્વારા ત્યાં જવાય છે. મૈથિલી બ્રાહ્મણે અને અગ્રવાલનાં ઘર છે. નદીકાંઠે મોટી ધર્મશાળા છે. અહી થી કાવડિયા ગંગાજળ વજનાથ લઈ જાય છે. તે અહીંથી ૩૦ થી ૩૫ કોસ છે. તેમજ ભાગલપુર પણ દશ કોસથી થોડું ઓછું છે પણ તેટલું જ કહેવાય. એટલે જે સ્થાને રતનની પ્રતિમાઓ હતી, ભગવાનદાસ જે સ્વાભાવિક શ્રમ પાસક હતા અને અષ્ટાપદની ઉપમાવાળું સ્થાન હતું તે આ જ સ્થાન છે તેમાં લગારે શંકા જેવું નથી. પટણાથી ૫૦ કોસ દૂર જે વિઠપુરી લખી છે, તે પણ અત્યારે વિદ્યમાન છે. તેનું નામ અત્યારે મહાદેવા છે. જેનેની વરતી કે જિનમંદિર કાંઈપણ નથી, ૫તુ ગાઉના માપ અને થાન ઉપરથી અનુમાન થાય છે કે વૈકુંઠપુરી એ જ મહાદેવા છે. અહીં અગ્રવાલની વસ્તી વધારે છે. એક ધર્મશાળા છે અને એક તીર્થ જેવું મનાય છે. "અહીથી કાચે રસ્તે જઈ થઈ ક્ષત્રિયકુંડ જવાનો સીધે રસ્તે છે. સુલતાનગંજ પાસે ગંગાનદીના મધ્યભાગમાં રહેલ અષ્ટાપદાવતાર તીર્થનું સુંદર ચિત્ર લખનૌના દાદા વાડીના જિનમંદિરમાં અત્યારે વિદ્યમાન છે. તેમજ મહાદેવામાં પણ જિનમંદિર હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com