________________
.
ઈતિહાસ ].
: ૪૯ .
સુલતાનગંજ “ચંપાથી દક્ષિણ સાર રે, ગિરિ મથુદા નામ મંદાર રે કેશ સોલ કહે તે હાંમિ, તિહાં મુક્તિ વાસુપૂજ્યવામિ રે. પ્રતિમા પગલાં કહિવાય, પણિ યાત્રા થડા જાય રે એવી વાણી વિખ્યાત રે, કહે લેક તે દેશી વાત રે તે તીરથભૂમિ નિહારા રે આયા ભાગલપુર સુવિચાર રે.
(પ્રાચીન તીર્થમાલા પૃ. ૮૨, સૌભાગ્યવિજયજી) એટલે અત્યારનું મંદારહીત એજ પુરાણું મંદારગિરિ છે. ચંપાનગરીના ઉધાનરૂપ મંદારગિરિ છે. અને વાસુપૂજ્ય પ્રભુનું ત્યાં જ નિર્વાણ થયું છે. ખાસ યાત્રા કરવા લાયક છે. આ પહાડ દિગંબરોએ વેચાતે લઈ પિતાનું તીર્થ કર્યું છે.
સુલતાનગંજ (અષ્ટાપદાવતાર)
ચંપાનગરીથી ૧૩-૧૪ માઈલ દૂર આ પવિત્ર સ્થાન આવેલું છે. અહીં ભજવતી ભાગીરથી-ગંગા પિતાને વિશાલ દેહ પટ પાથરીને પડયાં છે. પછી ભરપૂર રહે છે. અંદર હેડીઓ ચાલે છે. અહીંથી ભાવિક વિષ્ણવજને અને શિવ ભક્તો ગંગાનું જલ ભરી કાવડમાં ઉપાડી પગપાળા જ ચાલતા ૬૦ થી ૭૦ માઈલ દ્વર આવેલ બેજનાથ-વેજનાથ મહાદેવના અભિષેક માટે લઈ જાય છે. રોજ સેંકડો કાવડિયા જલ લઈ જાય છે. જૂન યાત્રીઓ સેંકડોની સંખ્યામાં આવે છે અને જાય છે. શિવરાત્રીના દિવસોમાં અહીં ઠઠ જામે છે. શિખરજીથી ચંપાનગરી આવતાં વચમાં બૈજનાથે આવે છે. તે એક વાર આપણું પ્રાચીન જૈન તીર્થં હતું. વીજજીએની રાજધાની ગણાય છે. અત્યારના વિજનાથ મહાદેવના મંદિરમાં જેના મૂતિઓ પણ હતી, પરંતુ ભૂદેએ ત્યાંથી ખસેડી લીધી છે. હાલમાં તે નથી ન મંદિર કે નથી જૈન તી. વિષ્ણુની ધર્મશાળાએ ઘણું છે, ઉતરવાનું સ્થાન મળે છે. વિશ્વનાથ સ્ટેશન અને તાર ઓફીસ પણ છે. બેજનાથથી ચંપાનગર આવતાં રોજ સેકડે કાવડેયા ગંગા જલ લઈને આવતા કે લેવા જતાં નજરે દેખાય છે.
સુલતાનગંજ તદ્દન ગંગાકાંઠે આવ્યું છે. ગંગાની વચમાં નાને પહાડ-ટેકરી છે. અત્યારે તે ટેકરી ઉપર એક મંદિર છે. પહેલાં આ જ મંદિર હતું પરંતુ અત્યારે તે શિવમંદિર થઈ ગયું છે. અહીં પ્રથમ જૈનોની વસ્તી ઘણી હતી, મંદિર પણ હતાં. હાલ તેમાંનું કઈ નથી, ગંગાની વચમાં ના પહાડ અને તેની ઉપર સુંદર જિનમંદિરને અષ્ટાપદજીની ઉપમા આપી છે, જેમાં પત્નની સુંદર મતિ હતી. જુઓ પ્રાચીન તીર્થમાલામાં સૌભાગ્યવિજયજી આ રથાનનું વર્ણન આ પ્રમાણે આપે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com