SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રિયકુંડ : ૪૮૮ : [ જૈન તીર્થને વર્તમાન સ્થિતિ અત્યારે ક્ષત્રિયકુંડ ગ્રામ તદ્દન નાનું ગામડું છે. આ ગામ પહેલાં પહાડ ઉપર જ વસેલું. અત્યારે પણ તેમજે છે. નાનું ગામડું. ત્યાં વિદ્યમાન છે. અહીં પ્રભુની બાલકાંડાની સ્મૃતિરૂપ આમલીના ઝાડ પણ હતાં. અહીં નવાદાથી સીધી મેટર આવી શકે તે રહે છે. તે વખતનાં બીજા જે ગામનાં નામે હતાં તે નામનાં ગામે અત્યારે પણ વિદ્યમાન છે, જેમકે કુમારગામ. મહામુકુંડગામ, મેરાક, કેનાગ (કૈલાગ) વગેરે છે. - શ્રી વીર પ્રભુએ દીક્ષા લીધા પછી પ્રથમ કુમારગામમાં રાત્રિ ગાળી હતી તે ગામ અત્યારે છે; તે મહાકુંડ ગ્રામ પણ અત્યારે છે જેમાં એકલા બ્રાહ્મણ જ વસે છે. કેનગ એ જ કેલ્લા ગન્નવેશ છે, જ્યાં પ્રભુને પ્રથમ ઉપસર્ગ થયે હતા, તે આ સ્થાન લાગે છે. આ સ્થાને જિનમંદિર હતું. કુમાર ગ્રામમાં પણ * જિનમંદિર હતું. અત્યારે ત્યાં મંદિર તે છે જ પરંતુ તેમાં જિદ્રદેવની પ્રતિ માજી નથી. તેને સ્થાને અન્યદેવની મૂતિ બેસાડવામાં આવેલી છે તેમજ ક્ષત્રિય કુંડથી પૂર્વમાં દા માઈલ દૂર મહાદેવ સીમરીયા નામનું ગામ છે. અહીં પહેલાં જિનમંદિરો હતાં પરંતુ જેન વસતીના અભાવે ત્યાંની જૈન મૂર્તિઓ પાસેના તળાવમાં નાખી દીધાનું અને તેને બદલે શિવલિંગ અને બુદ્ધભૂતિ આવી છે. અહીં પણ બ્રાહ્મણનું જોર છે. તેમજ અગ્નિખૂણામાં બસબુટ્ટી (સ્વપટ્ટી) ગામ છે. આ બધા સ્થાને જિનમંદિરે હતાં, જેનોની વસતી હતી. આ બધું હાલ માત્ર સ્મૃતિ રૂપ છે. આ આખે પ્રાંત જેનાથી ભરેલા હતા. સમયે તેમને અન્યત્ર જવાની ફરજ પાડી જેના પરિણામે ત્યાંથી જૈનને અભાવે થયે, પરંતુ હજીયે વીરપ્રભુની પૂજા અને નવના સંસ્કાર રહ્યા છે. ભલે તે છાયામાત્ર છે પણ કે ઈ સમર્થ જૈનાચાર્ય આ પ્રદેશમાં વિચરે તે ઘણું લાભ થાય તેમ છે. કેટલાક મહાશયે આ સ્થાનને સ્થાપના તીર્થ માને છે અને કહે છે કે ખરૂં તીથે જન્મસ્થાન તો પટણથી ઉત્તરે ગંગાપાર ૧૨ કેસ મુજફરપુર જીલ્લામાં ગંડકી નદીના કાંઠે બોસાડપટ્ટી ગામ છે, જેને વિશાલા નગર કહે છે. ત્યાં હમણાં બે કામ ચાલુ છે. ત્યાં ક્ષત્રિયકુંડગ્રામ, બ્રાહ્મણગ્રામ, વાણિજ્યગ્રામ, કુમારિયગ્રામ, સાંતવન, આમલકી ક્રીડાના સ્થાન વિગેરે પ્રાચીન સ્થાને ત્યાં હોવાની માન્યતા છે પરંતુ અમે જે સ્થાન અને જે સ્થિતિ ઉપર્યુક્ત સ્થાનકે જોઈ છે તેથી તે મહાનુભાવેના આ માન્યતા સદેહજનક છે. લગભગ સાડાત્રણથી ચાર વરસ પહેલાથી આપણે આ સ્થાનને ક્ષત્રિયકુંડ માની તીર્થરૂપે માનતા આવ્યા છીએ. તે વખતના વિદ્વાન યાત્રી સાધુઓએ પણ આ જ સ્થાનને તીર્થરૂપ માન્યું છે. અહીંથી પગ તે પાવાપુરી જતાં મહાદેવ સમારિયા વચમાં આવે છે ત્યાં પહેલાંનું જિનમંદિર કે જે અત્યારે શિવાલય થયું છે તે જોયું. રસ્તામાં પહાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy