________________
રાજગૃહી
: ૪પ૬ :
[ જૈન તો કરી આત્મકલ્યાણને માર્ગ પ્રાપ્ત કર્યો હતે, મનુષ્યભવ અજવાળે હતે. (૫) ઉપર ચઢતાં બે ખંડિએ આવે છે જે જિનમંદિર હશે. પહાડની તદ્દન ઉપર જતા ઉત્તરાભિમુખ શ્રી ગૌતમસ્વામીનું મંદિર છે. જેમાં અગ્યાર ગણધરની પાદુકા છે તથા નવીને પાદુકા પણ છે સ્થાન બહુ જ આહલાદક તથા ચિત્તાકર્ષક છે, ધ્યાન માટે બહુ જ સુંદર અને એકાત સ્થાન છે. પ્રભુ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર દેવેએ અહીં જ અણસણું કર્યું હતું અને ભવને અંત કરી નિર્વાણ પામ્યા હતા. આ સ્થાનથી આખી રાજગૃહીનું અને બીજા ચારે પહાડનું દશ્ય બહુ જ સુંદર લાગે છે. નીચે ઉતરતાં ઉના પાણીના કુંડ આવે છે. આ સિવાય ગરમ અને ઠંડા પાણીના કુંડે પણ આવે છે જેને ઉલેખ ભગવતીસૂત્ર શ. ૨, ૩, ૫, ૨. ૧૬૩ તથા વિશે. પાવશ્યક ગાથા ૨૪૨૫ માં મળે છે. રાજગૃહીની આ વર્તમાન પરિસ્થિતિ આપી જે અમે નજરે નિહાળી હતી. હવે પ્રાચીન પરિસ્થિતિ કે જેમણે નજરે જોઈ નેધ કરેલી છે, જેને ત્રણસોથી વધુ વર્ષ નથી વીત્યા તેમની વિગત આપું છું.
રાજગૃહીના પાંચે પહાડોમાં એક ભારગિરિ ઉપરજ વીશ જિનમંદિરે અને સાત સે જનમ્રતઓ હતી, એમ કવિ રત્નહંસસોમ પિતાના પુર્વદેશીય ચિત્યપરિ પાટીમાં આપે છે. કવિશ્રી જસવજયજી વૈભારગિરિ ઉપર ૨૫ મંદિર, વિપુલગિરિ ઉપર ૬ મંદિર, ઉદયગિરિ ઉપર ૧ ચોમુખ અને સેવન ગરિ ઉપર પાંચ મંદિરને ઉ૯લખ પોતાની સમેતશિખર તીર્થમાળામાં કરે છે. કવિશ્રી જયસાગરજી તે " ગિરિ પચે દેઢસો ચય ત્રિણ બિંબ સમેત ” પાંચે પહાડ ઉપર ૧૫૦ જિનમંદિર અને ૩૦૨ મૂતિઓ હોવાનું કહે છે જ્યારે શ્રી સૌભાગ્યવિજયજી તીર્થમાલામાં વૈભારગિર ઉપર બાવન મંદિર, વિપુલાચલમાં ૮, રગિરિમાં ૩ મંદિર, સુવઈગરિમાં ૧૬ અને ઉદયગિરિમાં ૧ જિનચૈત્યનો ઉલ્લેખ કરે છે. તેમજ ગામમાં ૮૧ જિનપ્રાસાદ વર્ણવે છે. જુઓ “ વસતિ એકમાં વળી દેહરે રે એકયાસી પ્રસાદ વષાણુ રે ” ભૂતકાલીન ગૌરવાન્વિત સ્થિતિ અને વર્તમાન અધોગતિ જોઈ કેને દુઃખ નહિં થાય ? પૂજારી પૂજા કરે અને મુનિમજી દેખરેખ રાખે. બસ આમાં જ વ્યવસ્થાપક પિતાની કર્તવ્યનિષ્ઠા બજાવી છે એમ માની રહ્યા છે. તીર્થોની રક્ષાને અમે (શ્રાવકે દાવો કરીએ ત્યારે અમારી (શ્રાવકોનો) ફરજ છે કે વ્યવસ્થા તદ્દન ચોકખી અને પ્રમાણિક હેવી જોઈએ. અને પૂજારીઓને “ આપણુ ભગવાનની પૂજની દરકાર કેવી હોય તે તેનાથી અજાણ્યું છે ? પર્વતના જિનમંદિરની પૂજનવિધિ સામગ્રીમાં ઘણી ખામી છે.
રાજા શ્રેણિકનો ભંડાર આ ભંડાર અઢળક દ્રવ્યથી ભરપૂર છે એમ કહેવાય છે. આ ભંડા૨ તેડવા માટે અનેક રાજા-મહારાજાઓએ પ્રયત્ન કર્યા પણ બધાય ભગ્નમનોરથી થયા. છેલે બ્રિટીશ સરકારે તેને તેડવાનું બીડું ઉઠાવ્યું. તેની સામે તેપના મરચા માંડયા, પણ થોડા ખાડા પત્થર ઉપડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com