________________
રાજગૃહી
ઇતિહાસ ]
: ૪૫૩ : ગામ ગુણાઉ જણ કહઈ ત્રિડું કે.સે તસ તીરે; ચૈત્ય ભલું જે ગુણસિં', સમોસમી જહાં વીરજી.” ગાથા ૧૭
રાજગૃહી કુંડલપુરથી ૪ કેશ દૂર રાજગૃહી નગરી છે. રાજગૃહી નગરી બહુ જ પ્રાચીન સ્થાન છે. વશમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના અવન, જન્મ, દીક્ષા અને કેવળ એમ ચાર કલ્યાણક અહી થયા છે. ત્યારપછીને જરાસંધને ઈતિહાસ થોડો જ ઉપલબ્ધ થાય છે, પરંતુ છેલ્લા ત્રણ હજાર વર્ષથી પણ પહેલાને ઈતિહાસ જૈન ગ્રન્થમાં શંખલાબધ મળે છે. પરમ અને પાસક ભાવી તીર્થકર મગધસમ્રાટ મહારાજ બિંબિસાર(શ્રેણિક)ના પિતા રાજા પ્રસેનજીતની રાજધાની આ જ નગરી હતી; તેમજ રાજા શ્રેણિકે પણ રાજગૃહીને જ પોતાની રાજધાનીનું પાટનગર રાખ્યું હતું. મગધની રાજધાની રાજગૃહનગર હતું. ભગવાન શ્રી મહાવીર દેવ અહી ઘણી વખત પધાર્યા હતા. આઠમું ચાતુર્માસ અહી થયું છે. રાજગૃહીને નાલંદા પાડામાં તો અનેક ચોમાસા થયાં હતાં, જ્યારે નજીકના ગુણશીલન ઉદ્યાનમાં પણ વિચરી જ્ઞાનપ્રકાશ જગત્માં ફેલાવ્યા હતા. ભગવાન શ્રી મહાવીરદેવના અગિયાર ગણધરો અહીં નજીકમાં જ પહાડ પર નિવાણપદ પામ્યા હતાં. અનિતમ કેવલી શ્રી જબસ્વામી, ધનાજી, શાલિભદ્ર, મેવકુમાર, સુલસા, પ્રાવિકા વિગેરે વિગેરે અનેક મહાપુરૂષો આ નગરમાં જ જન્મ્યા હતા, અને શ્રી વીર પ્રભુના ઉપદેશામૃત પીને વૈરાગ્ય પમી દીક્ષિત પણ આ જ નગરમાં થયા હતા, બુદ્ધિનિધાન મંત્રીશ્વર શ્રી અભયકુમારે પણ અહીજ દીક્ષા લીધેલી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન પણ આજ નગરીમાં થયું હતું. વિશ્વાદ્રિ નજીકના જયપુરના રાજા વિંધ્યના પુત્ર પ્રસિદ્ધ ચોર પ્રભવાજી પણ પ્રતિબોધ પામી અહી જ દીક્ષિત થયા હતા, પ્રસિધ્ધ ચોર રોહિણીયાજી પણ અહીં જ વૈભારગિરિની ગુફામાં રહેતા હતા, અત્યારે તે આ ઇતિહાસપ્રસિધ મહાન વિભવશાલી નગરીનું વર્ણન વાંચીને જ સંતોષ માનવા જેવું છે, તેને પુરાણે વૈભવ અને ગૌરવ આજે ધૂળમાં રગદોળાઈ ગએલ છે. મનુષ્ય આમાંથી કેવા કેવા બોધપાઠ લેવાના છે, તેના જર્જરીત ખંડિયેર પિતાના પૂર્વના વાવ જોવા માટે જાણે મનુષ્યને બોલાવી તેમાંથી ઉપદેશ આપતા હોય તેમ ઊભા છે. રાજગૃહી અ યારે તે નાનું શહેર છે, પરંતુ ભારતના પુરાતત્વવિદે અને વિજ્ઞાનશાસ્ત્રીઓ અહીં આવે છે અને નૂતન, શોધખોળ ચલાવે છે. મહાન વિજ્ઞાનશાસ્ત્રી શ્રી જગદીશચંદ બેઝ અમને અહીં જ મળ્યા હતા. અહીંના ઉના પાણીના કુંડમાં રહેલ તરની શેષ કરી રહ્યા હતા. અને અમને કહ્યું હતું કે “ જેને પિતાને શૃંખલાબધા પ્રમાણિક પ્રાચીન ઈતિહાસ બહાર મૂકે તે બહુ જરૂરનું છે.” રાજગૃહી બહારથી
* આ સંબંધી વિશેષ ખુલાસા માટે મારે “જગદીશચંદ્ર બેઝની પ્રયોગશાળા નામને જન જાતિમાં આવેલ લેખ જુઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com