________________
ગુણાયાજી
: ૪૫ર :
[ જૈન તીર્થોને સ્થાને રતૂપ હોવાનું જણાવે છે, પરંતુ અત્યારે તેમાંનું કશું વિદ્યમાન નથી. શ્રી જયવિજયજીએ પોતાની સમેતશિખર તીર્થમાળામાં ગૌતમ ગણધરના નિવાસસ્થાન તરીકે આ સ્થાનને ઓળખાવ્યું છે તે તે રાજગૃહીની અપેક્ષાએ છે. વડગામ તે વખતે રાજગૃહીનું તદ્દન નજીકનું જ નાનું ગામ હોય એમ લાગે છે. શ્રાવકો માટે તે બિહારથી રાજગૃહી જતી લાઈનનું નાલંદા મટેશન આવે છે. ત્યાંથી વડગામ (કુંડલપુર) બે માઈલ અને નાલંદા દોઢ માઈલ દૂર છે. કેટલાક ભાવિક શ્રાવકે તે ગાડામાં જાય છે–પગ રસ્તે જાય છે એટલે પાવાપુરીથી બિહાર થઈ કુંડલપુર થઈ રાજગૃહી જાય છે. નાલંદા B. B L, નું સ્ટેશન છે અને કુંડલપુરનું પોસ્ટનું નામ સિલાવે છે. કુંડલપુર તીર્થની વ્યવસ્થા વેતાંબર પેઢીને મેનેજર બાબુ ધનુલાલજી સુચન્તિ કરે છે.
ગુણુયાજી– (ગુણશીલવાન ચૈત્ય-ઉદ્યાન) પાવાપુરીથી ૧૨ માઈલ દૂર, અને રાજગૃહથી પહાડને તે પણ ૧૨ માઈલ દૂર આ સ્થાન ગુણશીલ વન-ઉલ્લાન તરીકે પ્રસિદ્ધ છે. જેને અત્યારે લેક ગુણાયાજી તરીકે ઓળખે છે. ગુણશીલ વન-ઉદ્યાનમાં ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી ઘણુ વાર પધાર્યા છે. દેવોએ સમવસરણ રહ્યું છે અને પ્રભુએ ઉપદેશ આપે છે.
અત્યારે એક નાના સુંદર તળાવની વચમાં જિનમંદિર છે. ચિતરફ ખેતરે-- દૂર દૂર પહાડે અને વચમાં આ સ્થાન બહુ જ સુંદર લાગે છે. તળાવમાં પાણી થતું રહે છે. પાવાપુરી જલમંદિર જેવી રચના કરવાની ભાવના હશે પરંતુ પાવાપુરી જેવી અનુકૂલતા નથી. મંદિરમાં જવા માટે નાની પાજ બાંધેલી છે.
મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે; બાજુમાં શ્રી મહાવીર ભગવાન અને ગૌતમ ગણધરની પાદુકાઓ છે. બન્ને ઉપર ૧૬૮૬ અને ૧૬૮૮ ના લેખે છે. અગ્નિ ખૂણાની છત્રીમાં વીસ તીર્થંકર દેવેની પાદુકાઓ છે. વાયવ્ય ખૂણની છત્રીમાં નેમિનાથજીની પાદુકા છે. નિત્ય ખૂણુનો છત્રીમાં કષભદેવની પાદુકા છે અને ઈશાન ખૂણાની છત્રીમાં વાસુપૂજ્ય સ્વામિની પાદુકા છે. તળાવને કિનારે-મંદિરની બાજુમાં ધર્મશાલા છે. ત્યાં એક મુનિમ રહે છે. અહીંથી નવાદા સ્ટેશન બે જ માઈલ દૂર છે. ગુણાયાછ ગામ દૂર છે. અહીંથી પહાડી રસ્તે ગયાજી ૩ર માઈલ દૂર છે. વિજયસાગરજી પિતાની સમેતશીખર તીર્થમાલામાં આ સ્થાનનું વર્ણન નીચે મુજબ આપે છે.
*ગુણશીલ વન-ચેય રાજગૃહની પાસે હતું. વિવિધ તીર્થકપમાં વૈભારગિરિ કલ્પમાં ગુણશીલવન માટે તેમણે નીચે મુજબ લખ્યું છે.
"भत्र चासद्गुणसि(शितं चैत्यं शैत्यकरं दृशाम् ।
શ્રીવી જંત્ર સવાણા 1ળા: પ્રમુઃ ૧. ''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com