SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ અનારસ ઃ ૪૩૮ : [ જૈન તીર્થોને ગ્રંથકાર કહે છે કે કાશી માહાસ્યમાં બ્રાહ્મણે લખ્યું છે કે-કાશીમાં કલિયુગને પ્રવેશ નથી અને ગમે તે પાપી, હત્યાકારી પણ મરીને શિવજીની પાસે વાસે કરે છે વગેરે. તેમજ ધાતુવાદ, રસવાદ, ખન્યવાદ, મંત્રવાદ આદિ વિદ્યાઓના જાણકાર; શબદાનુશાસન, તર્ક, નાટક, અલંકાર, તિષ, ચૂડામણિ, નિમિત્તશાસ, સાહિત્ય આદિ વિલામાં પારંગત પંડિત પરિવ્રાજકે, જટાધારીઓ, યોગીઓ આદિ બાવા સાધુએ; તથા ચારે વર્ણના મનુષ્ય, અનેક રસિકો અને ચારે દિશાના અનેક કલાકાર મનુષ્ય અહીં જોવાય છે. ગ્રંથકારનું આ વચન આજે પણ પ્રત્યક્ષ અનુભવાય છે. વારાણસી નગરી અત્યારે (ગ્રંથકારના સમયે) ચાર ભાગમાં વહેચાયેલી છે. (૧) દેવ વારાણસી કે જ્યાં વિશ્વનાથ મહાદેવનું મંદિર છે અને જેમાં વીશ તીર્થકરને* પાષાણુને પટ્ટ પૂજાય છે. ( પાષાણુની ચાવીશી. ) (૨ રાજધાની વારાણસી કે જેમાં યવને-મુસલમાને રાજ કરે છે. (૩) મદન જવારા સુસી, (૪) વિજય વારાણસી. અહીં અજૈનોનાં એટલાં બધાં મંદિર છે કે જેની મણના નથી. અહીં એક વનમાં + ઇનખાત નામના સરોવરમાં (પાસે) અનેક પ્રતિમા એથી વિભૂષિત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચિત્ય છે. આ તળાવમાં સુગંધમય અનેક કમળ ખીલેલાં છે અને તેની સુગંધીથી આકર્ષાઈને આવેલા ભ્રમરા સુંદર ગુંજાર ગાન કરે છે. અહીંથી-કાશીથી ત્રણ કેશ ક્રૂર ધમેક્ષા નામનું નગર છે. ત્યાં ગગનચુમ્બી * પૂ. પા. આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મહારાજ કે જેમને કાશીનો વર્ષોનો પરિચય છે તેઓશ્રી “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧ “માં લખે છે કે જિનપ્રભસૂરિ જેને દેવ વારાણસી કહે છે ત્યાં વિશ્વનાથ મંદિરમાં ચોવીશ તીર્થકરનો એક પાષાણને પદ તેમના સમય સુધી વિદ્યમાન હોવાનું જણાવે છે. તેઓ એક સ્થળે એમ પણ લખે છે કે – શાળા વિષેarsણે શીઘણુ” આ ઉપરથી એમ પણ જણાય છે કે વિશ્વેશ્વરના મંદિરમાં ચંદ્રપ્રભુની પણ મૂર્તિ હશે. * એ જ પુસ્તકમાં સૂરિજી મહારાજ જણાવે છે કે-અત્યારે કાશીમાં જે થાન “માનપુરા' ના નામથી ઓળખાય છે, એ જ કદાચ તે વખતે “માન વારાણસી' હોય. + બા તળાવ અને મંદિરને પરિચય સૂરિજી મહારાજ આ પ્રમાણે આપે છે. આ દન્તખાત તળાવ કયું; તે અત્યારે કહી શકાય નહિં પરંતુ સંભવ છે કે આ મંદિર ભેલુપુરનું મંદિર હેાય કારણ કે ભેલપુરની નજીક જ સઘન વન હતું; જે કે અત્યારે તે ત્યાં પણ ઘણાખરા મકાન બની ગયા છે. ( પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, ૫.૧ર-૧૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy