________________
ઈતિહાસ ] : ૪૩૫ :
બનારસ હીરાચંદ્રજી રાખે છે. આ સિવાય શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીનું, આદિનાથ પ્રભા, શ્રીરૂષભદેવ પ્રભજન. શ્રી કેશરીયાનાથ પ્રભળન, શી ગાડી પાર્શ્વનાથ પ્રભુજી, શ્રી શાતિનાથ પ્રભુજીનું વગેરે મંદિર છે. અહીંયા મંદિર પ્રાયઃ ત્રીજે કે ચોથે માળે હોય છે. ઘણી આડીઅવળી નિસરણીઓ ચડવી પડે છે. અંધારી ગલી જેવું લાગે છે. યાત્રાળુઓએ બહુ સાવધાનીથી દર્શને જવું. કેટલાંક મંદિરો શિખરબંધ છે અને કેટલાંક ઘરદહેરાસરજી જેવાં છે (ત્યાલય છે.) વ્યવસ્થા બાબુશાહી છે. રામઘાટનું મંદિર ગગાકાંઠે આવેલું છે, એ ઘાટથી બીજા ઘાટ પણ નજરે પડે છે.
શહેરમાં ઉતરવા માટે કેરી બજારમાં અંગ્રેજી કેઠીનું સ્થાન છે. સાધુએને ઉતરવાનું પણ આ જ સ્થાન છે. યાત્રાળુઓ પણ અહીં જ ઉતરે છે. અહીંથી મા માઈલ દૂર ભેલૂપુર છે.
ભેલુપુર આ બનારસનું પરૂ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વન અને જન્મકલ્યાણુક સ્થાન મનાય છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સુંદર મંદિર છે. વિશાલ ધર્મશાળા પણ નજીકમાં જ છે. મોટા સંઘે પ્રાયઃ અહીં જ ઉતરે છે. અહીંથી જ માઈલ દર ભેદની વાત છે.
ભદૈની ભદૈનીમાં ગંગાકાંઠે વચ્છરાજ ઘાટ ઉપર સુંદર મંદિર છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીનું યવન અને જન્મસ્થાન મનાય છે. ઘાટ ઉપર આ મંદિર બહુ જ મહતું અને ઉપયોગી છે. નીચે ઉતરવાનાં પગથિયા બાંધ્યાં છે. ઠેઠ ગંગા નદીમાં ઉતરાય છે. અહીં જીર્ણોધારની જરૂર છે. ઘાટમાં મોટી ફાટ પડી છે. ' જલદી સમરાવવામાં નહિં આવે તે મંદિરને પણ નુકશાન પહોંચવા સંભવ છે. ઘાટ ઉપર સવારનું દૃશ્ય બહુ જ મનરમ લાગે છે. બનારસની મહત્તાને ખ્યાલ ત્યાંથી વછે આવે છે. આ ઘાટ વછરાજજીએ બંધાવેલ હોવાથી વચ્છરાજ ઘાટ કહેવાય છે. વાટ ઉપરથી ગંગાને સામે કાંઠે રહેલ સુંદર ઉપવનભૂમિ, કાશી નરેશના રાજમહેલ અને તેમની રાજધાની રામનગરનું દશ્ય બહુ જ સુંદર દેખાય છે.
આ વછરાજ ઘાટ ઉપર રહેલા આપણા મંદિરને અને ઘાટને આધાર થવાની બહુ જ જરૂર છે. ગંગાને પવિત્ર કરી રહેલ આ મંદિર અને ઘાટના ઉધારમાં બહુ વિલંબ થશે તે પરિણામ બહુ જ અનિષ્ટ આવશે. ઘાટમાં નીચે મટી ફાટ પડી છે. ગંગાનું પાણી સામેથી જોરથી અફળાઈ અંદર જાય છે, જે ઘાટને નુકશાન કરે છે. લાખો રૂપિયાના ખર્ચે બંધાયેલ આ ઘાટના છણીધાર તરફક્ષ દુલ કરીશું તે આપણે પાછળથી પસ્તાવું પડશે. શ્રી આણંદજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com