________________
ઈતિહાસ ] ' ': ૪૩૩ :
પૂર્વાચાર્યોનું પરિભ્રમણ તેમના શિષ્યરત્ન શ્રી મૂલચંદજી-મુક્તિવિજયજી ગણિ થયા. ગુરૂશિષ્ય પંજાબમાં મહાન ક્રાંતિ ફેલાવી પંજાબ સુધા. પંજાબ દેશના આદઉધારક આ ગુરૂશિષ્યની બેલડી છે. બુટેરાયજી મહારાજના ઉપદેશથી પંજાબમાં સાત જિનમંદિરે નવા બન્યા છે. પાછળથી પૂ.પા. આ. શ્રી વિજયાનંદસૂરિજી અને તેમના વિદ્વાન શિષ્યરત્નએ પંજાબમાં જનધર્મની તિ જવલંત કરી. અત્યારે શ્રી વિજયવલભસૂરિવરજી પંજાબમાં ગુરૂકુલ, કોલેજ અને નૂતન જિનમંદિર સ્થપાવી પંજાબને જાગૃત કરી રહ્યાં છે. આવી જ રીતે મુક્તિવિજયજી ગણિવરના સમુદાયના મુનિ મહારાજ શ્રી દશનવિજ્યજી આદિ ત્રિપુટી મહાત્માઓએ મેરઠ, મુજફરનગર, સરધના, ભોરી, પારસી, પીઠલેકર, ઝુડપુર, રાધના વગેરે સ્થાનમાં જૈન ધર્મને પ્રચાર, મંદિર લાયબ્રેરી, પાઠશાળા સ્થપાવ્યાં છે. મથુરાના જીર્ણોધ્ધારની પ્રતિષ્ઠા કરાવી છે. આગ્રાથી શૌરીપુરને સંઘ કઢાવ્યો છે વગેરે વગેરે ધર્મપ્રચાર ચાલે છે. ભવ્ય વિદ્યાલય-ગુરૂકુલની તૈયારી ચાલે છે. પહેલીવાલ પ્રાંતમાં પણ પ્રચાર કરે છે. ટૂંકમાં પંજાબ અને યુ. પી. જૈન ધર્મના ભૂતકાળમાં કેન્દ્રસ્થાને હતાં તેમ અત્યારે પણ બને તે જરૂરી છે. - વિશેષ જાણવા માટે પંજાબમેં જન ધર્મ ” લેખક મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજને લેખ જૈન સત્ય પ્રકાશના પાંચમા વર્ષની ફાઈલ જુએ. અત્યારે પંજાબના દરેક મુખ્ય શહેરોમાં સુંદર જૈન મંદિર છે. ખાસ અંબાલા, લુધીયાના, જીરા, અમૃતસર, મારકેટલા, ગુજરાંવાલા, હોંશીયારપુર, શીયાલકેટ, રાયકોટ, મૂરતાન, લાહોર, જમ્મુ, દેરાગાજીખાન, ખાનકાડાગર, પેશાવરમાં બનુ વગેરે વગેરે સ્થાનમાં જિનેની વસ્તી અને મંદિરે છે. ગુજરાવાલાનું પૂ. શ્રી આત્મારામજી મહારાજનું સમાધિસ્થાન દર્શનીય છે. ત્યાંનું ગુરૂકુલ પણ પ્રસિધ્ધ છે. આત્માનંદ જૈન કેલેજ, સ્કુલ, અંબાલા વગેરે જવા લાયક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com