________________
ઈતિહાસ ] ': ૪૧૭ :
કુપાકે મુસલમાની જમાનામાં મુસલમાની રાજ્યમાં નાચાર્યોએ અને શ્રાવકોએ કેટલી કુશલતાથી તીર્થોની રક્ષા કરી છે તે આ શિલાલેખેથી સમજાય તેમ છે. આખા નીઝામ રાજ્યમાં આવું મેટું શિખરબંધ ભવ્ય મંદિર કુષ્પાકનું જ છે.
હમણાં ૧૯૬૫ ના જીર્ણોધ્ધાર સમયે શિલાલેખે જુદા કરી નાંખ્યા છે. સૂલનાયકની જમણી તરફની શાસનનાયક શ્રી વર્ધમાન સ્વામિની મૂતિ અદ્ભુત અને અનુપમ છે. ડાબી તરફ શ્રી નેમનાથજીની ભવ્ય મૂર્તિ છે. બીજી મોટી વિશાલ ૧૪ મૂર્તિઓ ખાસ દર્શનીય છે. દરેક જેને તીર્થની યાત્રા કરવા જેવી છે. ધર્મશાલા આદિની વ્યવસ્થા સારી છે. ચોતરફ ફરતે મજબૂત કેટ છે. તીર્થની વ્યવસ્થા હૈદ્રાબાદ-સિકંદરાબાદના શ્રી સ્વેતાંબર જૈન સંઘ તરફથી થાય છે.
રેલવે માગે જનાર શ્રાવકે મનમાડ જંકશનથી હૈદ્રાબાદ ગોદાવરી લાઈનમાં સીકંદરાબાદ જાય છે. ત્યાંથી વરંગલ લાઈનના અલીર ( Alir) સ્ટેશને ઉતરે છે. અહીંથી ચાર માઈલ કુલ્પાકજી છે. પાકી સડક છે. સ્ટેશન ઉપર કારખાના તરફથી ગાડી આવે છે.
૧. મંદિરમાં મૂળનાયક શ્રી માણેકસ્વામી આદિનાથ પ્રભુજીની ભવ્ય વિશાલ શ્યામ મૂર્તિ છે. ભરત મહારાજાના સમયની આ પ્રાચીન મૂર્તિ છે. અર્ધપદ્માસન પરમ દર્શનીય પ્રાચીન મૂતિ છે. પાસે ચક્રેવરી દેવીની મૂર્તિ છે.
૨. મૂલનાયકજીની જમણી બાજુ મહાવીર પ્રભુની મનોહર હાસ્ય ઝરતી અદભુત મૂર્તિ છે. પીરાજા પત્થરની છે. આકાશી રંગની આ પ્રતિમાજી ખૂબ જ દર્શન કરવા લાયક, દર્શન કરતાં તૃપ્તિ જ ન થાય એવું અદ્દભુત સિદ્ધાસનનું આ બિંબ આખા ભારતવર્ષમાં એક અદ્દભુત નમૂના જ છે. ૩. નેમિનાથજીની મટી શ્યામ પ્રતિમાજી છે. પાસે જ પદ્માવતીદેવીની મૂર્તિ છે.
જમણા હાથની લાઈન તરફ બહારના ભાગમાં ૪. શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય શ્યામ મોટી ઊભી મૂર્તિ છે. ૫ શાંતિનાથજીની શ્યામ સુંદર અર્ધ પદ્માસન મૂર્તિ છે. . ૬. શીતળનાથજીની શ્યામ સુંદર અધ પદ્માસન મૂતિ છે.
પાછળના ભાગમાં ૭. શ્રી અનંતનાથજી (૮) અભિનંદન પ્રભુ, બન્નેની શ્યામ મોટી પ્રતિમાઓ છે. ૯. એક ગોખમાં શ્રી ચોવીશ જિનની સુંદર મૂર્તિઓ છે.
ડાબા હાથ તરફ ૧૦ શ્રી સુપાર્શ્વનાથજીની તથા ચંદ્રપ્રભુજીની (૧૧) મટી શ્યામ પ્રતિમાઓ છે. કુલ ૧૪ મોટી પ્રતિમાઓ છે. ૫૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com