SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ કે આ તીર્થ દક્ષિણ દેશમાં (મહારાષ્ટ્રમાં) નિઝામ રાજ્યમાં આવેલું છે. નિઝામ સ્ટેટના મુખ્ય પાટનગર હૈદ્રાબાદથી ઈશાન ખૂણામાં ૪૭ માઈલ દૂર કુલપાકજી શહેર છે. આ પ્રદેશની મુખ્ય ભાષા કનડી અને રાજભાષા ઉદું છે. આ પ્રાંતમાં કુલ્પાકજીને કુલીપાક, કુમ્રપાક, કુ૫યપાક અને કુષાક તરીકે ઓળખે છે. મંદિરછનું નાનકડું શિખર અને તેને આકાર દેવવિમાનને મળતે છે. શિખર ૬૮ ફૂટ ઊંચું છે. મંદિરમાં મૂતિ ભવ્ય અને શ્યામ છે. શ્રી આદિનાથ પ્રભુજીની ભવ્ય નીલ રત્નમય-માણેકની મૂર્તિ મૂળનાયક તરીકે બિરાજમાન | છે. મૂર્તિ માણેક રત્નની બનાવેલી હોવાથી આ મૂર્તિને માણેકસ્વામી તરીકે ઓળખાવાય છે. મૂલનાયકની બાજુના ગભારામાં પીરજા રંગની અલૌકિક ભવ્ય મૂતિ છે; જે જીવિતસ્વામિ ભગવાન શ્રી મહાવીરદેવની છે. પ્રતિમાજી અદ્દભુત, મનોહર અને એટલી આકર્ષક છે કે ત્યાંથી ખસવાનું મન જ ન થાય. આ તીર્થમાં બધી પ્રતિમાઓ પ્રાય: અધ પદ્માસનસ્થ છે. આ મૂર્તિમાં કોઈ અનેરું ઓજસ પ્રકાશી રહ્યું છે. શાંતિદેવીના ઉપાસકેને તે અહીં ખૂબ જ આનંદ અનુભવાય તેવું * નિઝામ હૈદ્રાબાદમાં તબિર નોની વસ્તી છે. પાંચ સુંદર મંદિર છે ૧, સરકારી કોઠી પાસે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભીનું ૨. ચાર કમાન પાસે બી પાર્શ્વનાથજીનું ૩, સહકારી કારવાનમ પાર્શ્વનાથજી ૪. બેમાન બજારમાં પાર્શ્વનાથજીનું ૫. દાદાજીને બ ગમાં દાદાજીની પાદુકા અહીં નજીકમાં સિકંદ્રાબાદ છે, ત્યાં પણ એક સુંદર ભવ્ય જિનમંદિર અને ધર્મશાળા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy