SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ માંડવગઢ ભારતની પ્રાચીન ગણાતી નગરીઓમાં આ એક પ્રાચીન નગરી ગણાય છે. એક જૂનું માંડ ગામ જ્યાં ચેડાં ભીનાં ઝુંપડા હતાં ત્યાં આ ગામમાં મંડન નામે એક લુહાર રહેતું હતું. એને એક પશુ ચરાવનાર બિલ પાસેથી પારસમણિ મળે અને રક્ષણ માટે લેઢાનું સેનું. બનાવી, એક માટે કિલે બનાવ્યું. આ કિલો ચાલીસ માઈલના ઘેરાવામાં હતું. લુહારે પિતાનું નામ રાખવા આ ગઢનું નામ માંડવગઢ રાખ્યું. આગળ ઉપર આ પારસમણિ આ લુહારે તેની કન્યાને કન્યાદાનમાં આપે, પરન્તુ કન્યાને આની કોઈ કદર ન થઈ અને કન્યાએ આ પારસમણિ નર્મદાના પાણીમાં ફેંકી દીધે. ' બીજી દંતકથા એવી મલે છે કે પેથડકુમારે પારસમણિ, કામગવી, કામધેનુ અને ચિત્રાવેલી ભેટ આપી તેથી તે વખતના પરમાર રાજા જયસિંહદેવે આ વિશાલ દઢ, અભેદ્ય કિલ્લે બનાવ્યું અને નગરને સુરક્ષિત બનાવ્યું. જે કિલે અદ્યાવધિ પિતાની જીર્ણશીર્ણ હાલતમાં પણ પૂર્વ ઈતિહાસને ભાખતે પડ્યો હોય એમ લાગે છે. રાજા કીર્તિવીયજીનના સમયમાં, કે જે પૌરાણિક સમયને મહાપ્રતાપી રાજા થયો છે એણે આ કિલો બંધાવ્યું છે, પરંતુ ફિલાનું સ્વરૂપ જોતાં આ વાતમાં બહુ તથ્ય નથી જણાતું. 1 વળી ઉપદેશતરંગિણુમાં ઉલ્લેખ મળે છે કે “વનવાસના સમયમાં રામચંદ્રજી ના અનુજ બધુ લક્ષમણજીએ સીતાજીને પૂજા કરવા માટે છાણ અને વેળુની મનહર શ્રી પાર્શ્વનાથજી મૂર્તિ બનાવી. સીતાજીના શિયલ પ્રભાવથી આ મૂર્તિ વજીમય બની ગઈ. આ જ પ્રતિમા મડપદુગમાં પૂજાય છે, જેના દર્શન અને પૂજનથી બધા ઉપદ્રવ શાન્ત થાય છે. પછી લાંબા સમયે પરમાર રાજાઓએ આ નગરીને આબાદ બનાવી હતી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy