SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૩૮૧ : દેલવાડા-દેવકુલપાટક આ ઉપરથી એમ લાગે છે કે-હાલનું મંદિર મંત્રીશ્વર ઝાંઝણનું હાય. યદ્યપિ પાછળથી તેને જીર્ણોધ્ધાર થયો છે તેમાં સદેહ નથી કિન્તુ મંદિરની ભવ્યતા જે છે તે તે પ્રાચીન જ છે. આ મંદિરમાં બે વિશેષતાઓ છે. એક તે રંગમંડપના ઉપરના ભાગમાં મછિદને આકાર દેખાય છે. કહે છે કે બાદશાહ અકબર જ્યારે અહીં આવ્યા ત્યારે તેણે આ આકાર બનાવરાવ્યું હતું કે જે જોઈ મુસલમાન તેડી ન શકે, પરંતુ આ વાતમાં કેટલું તથ્ય છે તે તપાસવાની ખાસ જરૂર છે. અથવા તે મુસલમાની જમાનામાં મંદિરની રક્ષા માટે પાછળથી આ આકાર કેઈએ બનાવ્યું હોય. બીજી વિશેષતા એ છે કે-મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂતિ એવી રીતે બિરાજમાન છે કે સામેના એક છિદ્રમાંથી પિષ વદિ દશમે સૂર્યનાં કિરણે બરાબર પ્રભુ ઉપર પડતાં પરંતુ પાછળથી જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવે દિવાલ ઊંચી કરાવી કે જેથી હવે તે પ્રમાણે નથી થતું. આ તીર્થની ઘણું સમયથી પ્રસિદ્ધિ ન હતી કિન્તુ સ્વર્ગસ્થ શેઠ લલ્લુભાઈએ આ તીર્થને પ્રસિદ્ધિમાં આપ્યું. હાલમાં ઉદેપુર છે. જૈન સંઘતીર્થંકમેટી તીર્થ સંભાળે છે. તીર્થની દેખરેખ શ્રીયુત કનકમલજી બહુ જ સારી રીતે રાખે છે. શાંતિનાથજીનું-અબજીનું મંદિર છે. બાકી હાલમાં ખંડિયેર પડ્યાં છે ત્યાં ઘણી પ્રાચીન વસ્તુઓ અને શિલાલેખ, ખંડિત મૂતિઓ વગેરે ઉપલબ્ધ થાય છે. ઉદેપુર આવનાર દરેકે આ તીર્થની યાત્રા અવશ્ય કરવી. એકલિંગજીનું પ્રસિદ્ધ ગણાતું વૈષ્ણવ મંદિર પણ જૈન મંદિર છે. અત્યારે પણ ત્યાં મૂળ મંદિરની બાજુમાં જે દેરીઓ છે ત્યાં પાટડા ઉપર નાની નાની ન મૂર્તિઓના આકાર છે. મૂલ મંદિરની મલ મૂતિ પણ દરેકને બતાવતા નથી. બહારથી વસ્ત્રથી આચ્છાદિન મૂર્તિને વૈષ્ણવ ભાવિકે નમે છે. આનું પ્રાચીન નથી. નામ ૐકાપુર પણ છે. અહીં સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી કોન મંદિર બન્યું છે. દેલવાડા–દેવકુલપાટક એકલિંગજીથી ૩-૪ માઈલ દૂર દેલવાડા નામનું ગામ છે. દેલવાડામાં અનેક પ્રાચીન જિનમંદિરે હતાં. અહીંથી મળેલા શિલાલેખે માટે શ્રી વિજય ધર્મસુરિજી મહારાજે દેવકુલપાટક પુસ્તક પ્રકાશિત કર્યું છે તથા પુરણચંદ્રજી નહારે જૈન લેખ સંગહ ભા. ૨ માં પણ ઘણા લેખો પ્રકાશિત કર્યો છે. હાલમાં તે ત્રણ મંદિરે વિદ્યમાન છે. * ગુર્નાવલીમાં લખ્યું છે કે-મંત્રીશ્વર પેથડે કરડામાં પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું કીવાર્થ જરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy