SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયપુર : ૩૭૨ : [ મ તોના આ સિવાય દેવાલી, સેસાર, સમીના ખેડા વગેરેનાં પ્રાચીન મંદિર પણ આ જ વતુ સૂચવે છે. મેવાડ રાજ્યના જ્યાં જ્યાં કિલા બન્યા છે ત્યાં ત્યાં શ્રી ઋષભદેવજીનું મંદિર બનશે. આવા ઉલેખ પણ મળે છે. અને એ જ પ્રમાણે અત્યારે તે દરેક સ્થાનમાં જૈનમંદિર છે. પંદરમી સદીમાં (૧૪૫૦) મેવાડના મુખ્ય મંત્રી રામદેવ અને ચુંડાજી હતા, જેમના આગ્રહથી શ્રી સોમસુંદરસૂરિજી એ મેવાડમાં ખૂબ વિહાર કરી નધર્મની જ્યતિ જગાવી હતી. આ સમયે દેવકુલપાટક(દેલવાડા ) માં નીમ્બ શ્રાવકે ખૂબ ખર્ચ કરી માટે મહત્સવ કર્યો હતો. અને શ્રી ભુવન વાચકને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. આવી રીતે મહારાણા લાખાજીના પરમ વિશ્વાસુ શ્રાવક વિસલદેવે ૧૪૩૦ માં શ્રેયાંસનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૪૪૪માં જિનરાજસૂરિજીના હાથે આદિનાથજીની પ્રતિષ્ઠા થઈ હતી. ૧૪૮૯ માં પણ શ્રી સેમસુંદરસૂરિજીએ ઘણાં સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી હતી. રાણા મોકલજીના સમયમાં તેમના મુખ્ય મંત્રી સયણપાલજીએ ઘણાં જૈન મંદિર બનાવ્યાં હતાં. ત્યારપછી રાણા કુમ્ભાજીના સમયમાં મેવાડમાં ઘણાં જેન મંદિરો બન્યાં છે. તેમાં યે ચિત્તોડનું કુંભારાણાનું મંદિર એની સાક્ષી પૂરે છે. રાણા કપુરનું મંદિર પણ આ સમયે બન્યું છે. રાણા કુંભાજીએ પણ એમાં મદદ-સહાયતા આપી છે. તેમજ નાગદાનાં મંદિરે તેમાં યે શ્રી અદબદજીનું મંદિર બન્યું છે અને શ્રી શાન્તિનાથજીની સાત ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા ૧૪૯૪ મહાશુદિ ૧૧ ગુરૂવારે શેઠ લક્ષમી. ધરજીએ અને તેમના પુત્રોએ પ્રતિષ્ઠા કરાવી છે તે પણ એ જ સમય છે. ત્યારપછી રાણા ઉદયસિંહના સમયે ઉદયપુરમાં બનેલ જિન મંદિર તેમજ મહારાણા પ્રતાપ અને ભામાશાના સમયે અને ત્યારપછી પણ મેવાડ સદાયે જૈન ધર્મની જવલંત જ્યોતિ રૂપ જ રહ્યું છે. જે ફરમાન બહાર પડયું હતું તે ખાસ વાંચવા યોગ્ય છે. ખા ફરમાન ૫શુ એ વસ્તુ સાફ કરે છે કે રાજાને જૈનધર્મ ઉપર કેટલે સુંદર અનુરાગ હો. स्वस्तिश्री एकलिंगजी परसादातु महाराजाधिराज श्री कुंभाजी आदेसातु मेदपाटरा उमराव थावोदार कामदार समरत महाजन पंचाकस्य अप्रं आपणे अठे श्रीपुज तपमच्छका तो. देवेन्द्रसूरिजीको पंथका तथा पुनम्या गच्छ का हेमाचारजजी को परमोद है। धर्मज्ञान વસાયો સો માટે મળો વંથો ઢોળા ગાળીને માના, પુનાગ પરથમ (પ્રથમ) તો મને सुही आपणे गढकोट में नींवदे जद पहोला श्री रिषभदेवजीरा देवरा की नींव देवाडे है, पूजा करे हे अषे अजु ही मानेगा । सिसोदा पगका होवेगा नेसरे पान (सुरापान) पीवेगा नहि और धरम मुरजाव में जीव राखणो या मुरजादा लोयगा जणीने महासत्रा (महासतियों की आण है) औ फेल करे गाजणीने तलाक है । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy