SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ]. : ૩૭ : ઉદયપુર વિજયસૂરિ મહારાજના સમયનું કહેવાય છે. ( ૨ ) આદીશ્વરજી ( ૩ ) પાશ્વનાથજી (૪) શાંતિનાથજી, (૫) વિમલનાથજી, (૬) અજિતનાથજી. (૭) કુંથુનાથજી. આ મંદિરમાં પાર્શ્વનાથજીની રત્નની પ્રતિમા છે. (૮) શાંતિનાથજી (૯) સુપાર્શ્વનાથજી (૧૦) આદીશ્વર ભગવાન (૧૧) પદ્મપ્રભુ, (૧૨) મહાવીરસ્વામીનું (૧૩) પાર્શ્વનાથ ભગવાનનું (૧૪) શંખેશ્વરજી (૧૫) શાંતિનાથજી (૧૬) સહસ્ત્રફણ પાશ્વનાથજી, (૧૭) મહિલનાથજી, (૧૮) ચંદ્ર પ્રભુજીનું (૧૯) મહાવીર પ્રભુનું ( ૨૦ ) મહિલનાથજી (૨૧) સુમતિનાથ સ્વામીનું. આ મંદિર વિશાલ ત્રણ માળનું અને મોટું છે. (૨૨ ) શ્રી મંદિર સ્વામીનું (૨૩) નેમનાથજી ભગવાનનું (૨૪) પાર્શ્વનાથજી, (૨૫) રૂષભદેવજી, (૨૬) ગેડી પાર્શ્વનાથજી, (૨૭) શાંતિનાથજી, (૨૮) કુંથુનાથજી, (૨૯) શામળીયા પાર્શ્વનાથજી, (૩૦) આદીશ્વરજી. અહીં ઉપાશ્ર પણ ઘણા છે, યતિઓ-તિથી પણ રહે છે. અહીંની નકારવાળી પ્રસિદ્ધ છે. વિદ્વાન યતિઓ-શ્રીપૂજે પણ અહીં રહે છે. અહીને પ્રદેશ રેતાળ છે. ઉંટનાં વાહને ઘણું મળે છે. ખેતી પણ ઉંટથી થાય છે ખરી. દાદાવાડીયે પણ છે. મંદિર અને જ્ઞાનભંડારો દર્શનીય છે. ઉદયપુર મેવાડની વર્તમાન રાજધાનીનું શહેર છે. આખા મેવાડમાં અત્યારે તે ઉદયપુર જેવું શહેર નથી, મહારાણા ઉદયસિંહજીએ સત્તરમી સદીમાં-૧૬૨૪ માં ઉદયપુર વસાવ્યું છે. ઉદયપુર વસ્યું એ જ સાલમાં ઉદયપુરના સુપ્રસિદ્ધ શ્રી શીતલનાથજીના મંદિરનું ખાતમુહૂત થયું હતું. મેવાડના રાજાઓ શરૂઆતથી જ જૈનધર્મ પ્રતિ બહુ ઉદાર, ભકિતભર્યા અને શ્રધ્ધાશીલ રહ્યા છે. મેવાડની જૂતી રાજધાની આડ-અઘાટપુર હતું. તે વખતે ત્યાં બનેલાં બાવન જિનાલયનાં મંતિરે એ વાતની સાક્ષી પૂરે છે તેમજ આ જ અઘાટપુરમાં મેવાડના મહારાણા તરફથી શ્રી* જગશ્ચંદ્રસૂરિજીને તેરમી સદીમાં “મહાતપા'નું બિરુદ મળ્યું હતું. • તપગચ્છની ચુંમાલીસમી પાટે આચાર્ય થયા છે. તેમણે અવટપુર-મેવાડના રાણુની સમક્ષ બત્રીશ દિગંબર વાદીઓને જીત્યા હતા, અને વાદમાં હીરાની જેમ અભેદ્ય રહેવાથી “હીરલા' ભગચંદ્રસૂરિ આવું બિરુદ રાણાએ આપ્યું. ત્યારપછી બાર વર્ષ સુધીની સરિઝની મહાન તપશ્ચર્યા જોઈ મેવાડના રાણું જૈત્રસિંહે તપાનું બિરુદ ૧૨૮૫ માં આપ્યું ત્યારથી વડગચ્છનું તપગચ્છ નામ પડયું, ( તપગચ્છ પટ્ટાવલી) મેવાનરેશ સમરસિંહ અને તેમની માતા જયતલ્લાદેવીની દેવેદ્રસૂરિજી પ્રત્યે બહુ જ સારી વ્યક્તિ હતી. સૂરિજીના ઉપદેશથી માતાએ ચિતોડના કિલ્લામાં શ્રી શામળીયા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું હતું. સૂરિજીના ઉપદેશથી પ્રસન્ન થઈ રાણું સમરસિંહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy