SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા * * : [ જૈન તીર્થાના પહાડ ઉપર ચઢતાં રસ્તામાં કુંડ અને વિસામાએ આવે છે. આ વિસામા ઉપર ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા પેઢી રાખે છે, ઉપર કિલ્લામાં રહેલ જિનમદિરા અને ધાર્મિક સ્થાનાનું રીપેરીગ, સાફસુફી, દેખરેખ પેઢી રાખે છે. ઉપર્યુક્ત કાયા કરવા માટે પેઢી તરફથી ઉપર એક ઈન્સપેકટર રહે છે. સેકડા પૂજારી, સિપાઈએ, કામ કરનારાએ તેના હાથ નીચે કાર્ય કરે છે. પહાડ ઉપર રથયાત્રા, પૂજા, સ્નાત્ર આર્દિની વ્યવસ્થા પણ પેઢી જ કરે છે. ખીજા કાર્યો માટે પણ પેઢીના હાથ નીચે સે‘કડા માણસેા કામ કરે છે. નીચેની કેટલીક ધર્મશાલાએ પણ પેઢીના વહીવટમાં છે. શેઠ આણુ ધ્રુજી કલ્યાણજીની પેઢી એટલે એક નાના દરબાર સમજી લ્યે. પેઢી તરફથી એક મેાટી પાંજરાપેાળ છાપરીયાળીમાં ચાલે છે. ભાવનગર સ્ટેટ આ ગામ પેઢીને ભેટ આપેલું છે, જ્યાં સેંકડા હજારા પશુઓનુ` પાલન થાય છે. શહેરમાં પણ પાંજરાપેાળનું વિશાલ મકાન છે. અહી ઘેાડાં પશુએ રાખી બાકીનાં છાપરીયાળી મેાકલવામાં આવે છે. આ સિવાય પેઢી તરફથી પાઠશાલા, જ્ઞાનભ'ડાર, ઔષધાલય વગેરે પણ ચાલે છે. સાતે ક્ષેત્રાની વ્યવસ્થા, સારસભાલ અને દેખરેખ રાખવાનુ` મહાન્ કાર્ય આ પેઢી કરે છે. આ સંસ્થા પાલીતાણાની મહાન અને પુરાણી સસ્થા છે. ધાર્મિક કેળવણી સંસ્થા શ્રી ચોવિજયજી જૈન ગુરુકુળ પાલીતાણા એ હિન્દુસ્તાનના જૈનસંઘનું મહાન તીથક્ષેત્ર છે તેમ જૈનધર્મના સસ્કારી અને જ્ઞાન આપવાનું કાશી જેવું વિદ્યાક્ષેત્ર નથી તેા પણ કેટલીક વિદ્યાપ્રચાર સસ્થા સારું' કામ કરી રહી છે. આ બધામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાનપ્રચાર કરનારી સંસ્થા તે શ્રી યશવિજયજી જૈન ગુરૂકુલ છે, જેની સ્થાપના સદ્દગત ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબે (કચ્છીએ) કરી છે. સંસ્થાની સ્થાપના પાલીતાણાને વિદ્યાપુરી બનાવવાની શુભ ભાવનાથી જ કરી હતી અને શરૂઆતમાં સંસ્કૃત, પ્રાકૃત તથા જૈનધર્મનું ઉત્તમ જ્ઞાન મળે તેવી વ્યવસ્થા હતી. સ. ૧૯૬૮ ના ક. શુ. ૫ ના શજ આ સંસ્થાની સ્થાપના મહારાજ સાહેબ શ્રી ચારિત્રવિજયજી(કચ્છી)એ કરી હતી. એ જ સાલના વૈશાખ મહિનામાં સંસ્થા સાથે ખાડીગ હાઉસની સ્થાપના કરી હતી. સંસ્થાનુ શરૂઆતનુ' નામ યશેાવિજયજી જૈન સસ્કૃત પ્રાકૃત પાઠશાલા, ખેર્ડીંગ હાઉસ હતુ. ૧૯૬૯ ના ભયંકર જલપ્રલય સમયે ગુરુમહુારાજ શ્રી ચારિત્રવિજયજીએ સૈંકડા મનુષ્ય અને પશુઓના જાન બચાવ્યા હતા, મહારાજશ્રીનું આ મહાન્ પરોપકારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy