________________
- -
-
-
ઇતિહાસ ]
: ૩ :
પાલીતાણા પાલીતાણા શહેરની જન સંસ્થાઓ આણંદજી કલ્યાણજીની પેઢી. * આ સંસ્થા આખા હિન્દુસ્તાનના શ્વેતાંબર જૈન સંઘનું પ્રતિનિધિત્વ ધરાવે છે. હિન્દુસ્તાનના જુદા જુદા પ્રાંતે અને શહેરના ૧૦૮ પ્રતિનિધિઓ તેની વ્યવ. સ્થા ચલાવે છે. તેની મુખ્ય પેઢી અમદાવાદમાં છે અને શાખા પેઢી પાલીતાણામાં છે. તેને ત્યાંના વતનીઓ “કારખાનું” એ ઉપનામથી સંબોધે છે. એક બાહોશ મુનિમના હાથ નીચે આ સંસ્થા ચાલે છે. શત્રુંજય તીર્થની વ્યવસ્થા અને રક્ષણ કરવાનું બધું કાર્ય પેઢીના હાથમાં છે. સાથે જ ત્યાંની દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં પેઢીને મુખ્ય હિસ્સો હોય છે. પેઢીમાં બીજાં નાનાં નાનાં ખાતાંઓ પણ ચાલે છે. પેઢીને ભંડાર અક્ષય મનાય છે. બીજાં ખાતાંઓ અને પોતાની વ્યવસ્થા ચલાવવા મુનિમજીના હાથ નીચે સંખ્યાબંધ મહેતાઓ, કલાકે, કરે અને સિપાઈઓ રહે. છેતીર્થરક્ષાની અને વ્યવસ્થાની સંપૂર્ણ જુસ્સેદારી સાથે જ.
હિન્દના યાત્રાએ આવતા શ્રીસંઘ ચતુર્વિધ સંઘની સેવા-દેખરેખ સાચવવાનું મહાન કાર્ય આ પેઢી દ્વારા જ થાય છે. અહીં યાત્રાએ આવનાર સાધુ-સાધ્વીઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં ઉપગરણે પૂરાં પાડવામાં આવે છે. પાત્રા, તેનાં સાધનો, પાટપાટલા, વસ્ત્રાદિ, ઔષધિ આદિ બધી વસ્તુઓને પૂરે ખ્યાલ પેઢી રાખે છે.
યાત્રાળુ શ્રાવક-શ્રાવિકાઓને વાસણ, ગાદલાં-ગોદડાં, ઔષધિને પ્રબંધ કરે છે. આ સિવાય સાધનહીન શ્રાવક-શ્રાવિકાઓને, ભેજકેને, ગરીબોને મદદ પણ આપે છે.
કારશી, સ્વામિવાત્સલ્ય-જમણ આદિની વ્યવસ્થા પણ પેઢી કરાવી આપે છે. યાત્રાળુઓને શુદ્ધ કેસર, સુખડ, બરાસ, ધૂપ આદિ સામાન્ય પડતર કિસ્મતે આપે છે.
પહાડ ઉપર અને નીચે બધી વ્યવસ્થા, સારસંભાલ, જીણોધ્ધાર, નવીન જિનમંદિરજીની સ્થાપના વગેરે બધાં કાર્યોની દેખરેખ પેઢી રાખે છે.
પહાડ ઉપર જતાં રસ્તામાં ભાતાતલાટી' આવે છે. ત્યાં યાત્રાળુઓને ભાતું અપાય છે કે જેમાં વિવિધ પકવાને હોય છે. આ સિવાય ગરમ કે ઠંડા પાણીને પ્રબંધ પણ રાખે છે. ભાતાતલાટીનું વિશાળ મકાન, તથા બગીચો, બાજુના કમરાઓ આદિની વ્યવસ્થા ઘણી સારી છે. તલાટીના આગળના ભાગને વિશાલ ચેક, તેની છતરી, શેઠ લાલભાઈ દલપતભાઈની માતુશ્રી ગંગામાએ બંધાવેલ છે.
૧. પેઢીની સ્થાપના સંબંધી ઇતિહાસ આ જ ગ્રંથમાં પાછળ આપવામાં આવશે. હ, ભાતાતલાટીની શરૂઆત મુનિ મહારાજ શ્રી કલ્યાણવિમલજીના ઉપદેશથી શરૂ થયેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com