________________
જેસલમેર
[ જૈન તીર્થોને અષ્ટાપદજીના મંદિરમાં મૂલનાયક શ્રી કુંથુનાથજી છે. આની પ્રતિષ્ઠા કરાવનાર જિનસમુદ્રસૂરિજી તથા જિનમાણિજ્યસૂરિજી છે. ૧૫૮૦-૮૧માં પ્રતિષ્ઠા થઈ છે શાન્તિનાથજીના મંદિરમાં પ્રથમના મહાત્માના લખાણ મુજબના ૬૪૦ મૂર્તિઓ હતી અને યતિ વૃદ્ધિનજીના લખાણ મુજબ ૮૦૪ મૂર્તિઓ છે, અને અષ્ટાપદજીના મંદિરમાં ૪૨૫ મૂર્તિઓ હતી અને ત્યારપછીના લખાણ અનુસાર ૪૪૪ મતિઓ છે. - ૫ શ્રી ચંદ્રપ્રભસ્વામિનું મંદિર–આ મંદિર ત્રણે ખંડનું ઉત્તમ કારીગરીવાળું અને વિશાળ છે. ત્રણે ખંડમાં દરેક દિશામાં એક એક શ્રીચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ બિરાજમાન છે. આથી આ મંદિરને ચતુર્મુખવિહાર' પણ કહે છે, ૧૫૯ માં જિનભદ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ છે. આ મંદિરના બીજા માળમાં ધાતુની મૂતિઓ-પંચતીથીને સંગ્રહ ઘણે સારો છે જેમાં પ્રાચીન અર્વાચીન દરેકને સંગ્રહ છે. આ મંદિરમાં પ્રાચીન લખાણ મુજબ અને તિજીના લખાણ મુજબ ૧૬૪૫ મૂતિઓ છે.
૬ શીતલનાથજીનું મદિર–આ મંદિરમાં મૂલનાયક શ્રી શાંતિનાથજી છે. ડાગા ગેત્રીય ઓસવાલએ મંદિર બનાવ્યું છે, ૧૫૮૧ માં પ્રતિષ્ઠા થઈ છે. અહીં પહેલાં ૩૧૪ પ્રતિમાઓ હતી. યતિવર્યશ્રી વૃદ્ધિરત્નજીની વૃદ્ધિરત્નમાલામાં ૪૩૦ પ્રતિમાઓ આ મંદિરમાં છે એ ઉલ્લેખ છે. આ મંદિર પણ બહુ જ રોનકદાર અને દર્શનીય છે. - ૩ શ્રી કષભદેવજીનું મંદિર -ચોપડા શેત્રીય શેઠ ધનાશાહ એ સવાલે બનાવ્યું છે. ૧૫૩૬ માં પ્રતિષ્ઠા શ્રી જિનચંદ્રસૂરિજીના હાથે થઈ છે. આ મંદિરનું બીજું નામ “ગણધરવસહી” પણ છે. આ મંદિરમાં ચયપરિપાટીમાં ૬૩૧ મૂતિઓ હોવાનું લખ્યું છે જ્યારે વૃધ્ધિરત્નમાલામાં ૬૦૭ મૂતિઓ હોવાનું લખ્યું છે. ( ૮. શ્રી મહાવીર સ્વામીનું મંદિર-આ મંદિર રાજમહેલની પાસે છે. બરઢીયા ગોત્રીય ઓસવાલ શેઠ દીપાએ આ મંદિર બનાવરાવ્યું છે. પ્રતિષ્ઠા ૧૪૭૩માં થઈ છે. વૃદ્ધિરનમાલામાં ૧૫૮૧ માં પ્રતિષ્ઠા થયાનું લખ્યું છે. ચિત્યપરિપાટીમાં ૨૩૨ મૂર્તિઓ હેવાનું લખ્યું છે. વૃદ્ધિરનમાલામાં ર૯૫ મૂર્તિ હોવાનું લખ્યું છે.
શહેરમાં શ્રી સુપાર્શ્વનાથજી અને વિમલનાથજીનાં એમ બે મન્દિરો છે. આ મંદિર તપગચછનાં છે એમ કહેવાય છે. બન્ને મૂલનાયકજી ઉપર અનુક્રમે શ્રી વિજયદેવસૂરિજી અને શ્રી વિજયસેનસુરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે.
શહેરમાં છ ઘરમંદિરો છે. ત્રણ ઉપાશ્રય છે. ગામ બહાર દાદાવાડી છે, તરમી સદીની છે.
* શહેરનાં દેરાસર-જેસલમેર શહેરમાં તેના કિલ્લાની માફક આઠ નાનાં મોટાં જિનમંદિરો આવેલાં છે, જેમાંથી બે દેરાસર શિખરબંધી તથા બી જ છે ઘર-દેરાસરો છે, જે નીચેના સ્થળોએ આવેલાં છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com