SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર : ૩૬૪ : [ જૈન તીર્થોને ભાડું પેસેન્જર દીઠ ૬-૦-૦ ૦ રૂપિયા લેવામાં આવે છે. જોધપુર તથા જોધપુરની આજુબાજુ નાનાં મોટાં ૨૦ દેરાસરે આવેલાં છે. વળી જોધપુરથી જેસલમેર જતાં રસ્તામાં નીચે મુજબ જૈન દેરાસરાવાળાં ગામો પણ આવે છે. જોધપુરથી ઝર માઇલ દર બાલેસર આવેલ છે. જેધપરથી ર૯ માઈલ દર આગેલા આવેલ છે. જોધપુરથી શેરગઢ ૬૩ માઈલ દૂર આવેલું છે. વળી ડેગરી તથા દેવીકેટમાં પણ જેન દેરાસર છે. આ પ્રમાણેના ત્રણ રસ્તા છે. આ પૈકી પિકરણથી જેસલમેર જવાને રસ્તે જરા ખર્ચમાં વધુ છે, પરંતુ એાછા કંટાળાભર્યો અને સુલભ છે. , સારો ડ્રાઈવર હોય તે સાડાત્રણ કલાકમાં સહેલાઈથી મટર પહોંચી જાય છે. - તાર ટપાલનું સાધન--જેસલમેરમાં ટપાલની વહેંચણે હંમેશાં થતી નથી. દર ત્રીજે દિવસે ટપાલ નીકળે છે. વળી તારની પણ ખાસ સગવડ નથી છતાં પણ જેસલમેરથી કિરણ ટેલીફોન લાઈન હોવાથી કાંઈ વધે આવતું નથી. ઇલેકટ્રીક અને રેડીઓની સગવડ છે. ખાવાપીવાની વસ્તુઓ ઘણી જ મેંઘી મળે છે અને કેટલીક સારી પણ મળતી નથી. વળી મોટા ભાગે ચિત્ર શુદિ પૂર્ણિમા પછી તે પાણીની પણ તંગાશ પડે છે. બાકી ખાસ પાણીની અગવડ બે મહિના રહે છે. ધર્મશાળા--શહેરની મધ્યમાં જ પટવાઓની કલાપૂર્ણ હવેલીઓની નજીકમાં જ એક ધર્મશાળા નવી બંધાય છે. ખા ધર્મશાળામાં જ જેસલમેર, અમરસાગર તથા વૈદ્રરાજી તીર્થનો વહીવટ કરનાર પેઢીની ઓફિસ આવેલી છે. પેઢીનું નામ શ્રી જૈન વેતાંબર પાર્શ્વનાથ ભંડાર છે. x મ રાજપુતાનામાં અનેક શહેરોમાં જેસલમેર એક પ્રાચીન શહેર કહેવાય છે. અહીંના રાજાઓ ભાટી રાજપુતો કહેવાય છે. સં. ૧ર૧૨ માં રાવલ સાજીના મોટા પુત્ર જેસલરાજે પિતાના ભત્રીજા મહારાવલ ભેજદેવને શાહબુદ્દીન શેરીની સહાયતાથી હરાવ્યો અને તેને મારી લાઘવપુર-લેદ્રવા ઉપર પોતાની સત્તા જમાવી પરંતુ ત્યાં ઠીક ન લાગવાથી દ્રવોથી દશ માઈલ દૂર એક ટેકરી ઉપર કિટલે બંધાવી પોતાના નામથી “જેસલમેર' શહેર વસાવ્યું. ત્યારપછી અત્યારસુધીમાં ૩૮ રાજાઓ ગાદીએ આવ્યા છે. અહીં પહેલાં ર૭૦૦ ઘર ઓસવાલ જૈનેનાં હતાં. અત્યારે તે દઢસે બસો ખુલ્લાં હોય તે હેય. અહીં ૧૮ ઉપાશ્રય છે. સાત મોટા જ્ઞાનભંડારો છે. દસ જિનમંદિરે છે. અહીંનાં મંદિરો અને જ્ઞાનભંડારો ખાસ દર્શનીય છે. સાત જ્ઞાનભંડારોનાં નામ આ પ્રમાણે છે– ૧. બૃહભંડાર–કિલ્લાના શ્રી સંભવનાથજીના દેરાના ભેંયરામાં. આ ભંડાર માં બધાં તાડપત્રીય પ્રાચીન પુસ્તકોને સુંદર સંગ્રહ છે. આ ભંડારની દેખરેખ જેસલમેર સંઘ રાખે છે. સંઘની રજા સિવાય આ ભંડાર નથી ઊઘડતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy