SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ફલાથી : ૩૫૪ : [ જન તીર્થોને વચમાં પણ આ તીર્થને જીર્ણોદ્ધાર થયો છે. ત્યારપછી સૂરિસમ્રા તપગચ્છાધિરાજ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના ભગીરથ પ્રયત્નથી તીર્થરક્ષા, તીર્થવ્યવસ્થા અને જીર્ણોદ્ધાર થયો છે. સં. ૧૯૭૫ ના મહા શુદિ ૫ ને બુધવારે જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સૂરિસમ્રાટના હાથથી થઈ છે. અત્યારે દરવર્ષે ત્યાં મેળો પણ આ તીથીએ ભરાય છે. અહીં શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી મેટી ધર્મશાળા બંધાઈ છે. બધી વ્યવસ્થા સારી છે. કમીટી દ્વારા વહીવટ સારો ચાલે છે. યાત્રિએ ખાસ કરીને જોધપુરથી બિકાનેર જતી રેલવેમાં થઈ પીપાડરોડ ટેશનથી બીલાડા જતી રેલ્વેમાં પીપાલસીટી સ્ટેશને ઉતરવું. અહીં સુંદર બે જિનમંદિર, ધર્મશાળા વગેરે સગવડ છે. અહીંથી કાપરડાજી જવાને વાહન વગેરે મળે છે. અહીંથી કાપરડા ૮-૯ માઈલ દૂર છે, શલારીથી કાપરડાછ ચાર જ માઈલ છે પણ ત્યાં વાહનની સગવડ પૂરી નથી મળતી. | તીર્થયાત્રા કરવાલાયક અને પરમ શાંતિનું ધામ છે. મૂલનાયક શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથજી ઉત્તર સન્મુખ છે. પૂર્વમાં શાંતિનાથજી, અભિનંદન દક્ષિણમાં, પશ્ચિમમાં મુનિસુવ્રતજી, બીજા માળમાં ત્રાષભદેવ, અરનાથ, વીરપ્રભુ અને નેમિનાથજી છે. ત્રીજા માળમાં નમિનાથ, અનંતનાથ, નેમિનાથ અને મુનિસુવ્રત, ચેથા માળમાં પાર્શ્વનાથ, મુનિસુવ્રત, શીતળનાથ, પાર્શ્વનાથજી તેમજ સંપ્રતિ મહારાજાના સમયની શ્રી શાંતિનાથજી છે, એ પણ પરમ ચમત્કારી છે. - આ ગામનું નામ કાપરડા, કાપડૅ, કટિહેટક, કરપટહેટક વગેરે મળે છે. ફવિધ (લેધી) તીર્થને ઈતિહાસ ફલેધી તીર્થ મારવાડ(રાજપુતાના)નું એક પ્રાચીન તીર્થ છે. આ તીર્થની સ્થાપના કયારે અને ક્યા મહાપ્રભાવિક આચાર્ય મહારાજને હાથથી થઈ તે માટે ધાજ કરતાં નીચેના પ્રમાણે મળી આવ્યાં છે. પત્તવર્ષ તીર્થકલ્પ (P. B, R. ગતિ) (૧૭) સદૈવ થીવારા શાહંમર પ્રતિ વિનફૂાચારે मेडतकपुरपाट्यां फलवधिकाग्रामे मासकल्पं स्थिताः । तत्र पारसनामा श्राद्धस्तेन जालिवनमध्ये लेष्टराशिर्दष्टः । अम्लानशितपत्रिकापुष्पैः पूजितः । लेष्टवो विरली. कृताः । मध्ये विम्बं दृष्टम् । तेन श्रीदेवसरिभक्तेन गुरवो विज्ञापिताः । तैः सरिमिर्धामदेवं सुमतिप्रभगणीवासान दत्वा प्रहितौ । धामदेवगणिना वासक्षेपः कृतः। पश्चादेवगृहे निष्पने श्रीजिनचन्द्रसूरयः। स्वशिष्याः वासानर्पयित्वा प्रहिताः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy