SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ નાકોડાજી. : ૩૫૦ : [ જૈન તીર્થોને બહારની ચેકીની પાટ ઉપર એક લેખ છે, જે આ પ્રમાણે છે-- " संवत् १५७२ वर्षे आपाढ सुदि १५ दिने राउलश्री वीरमविजयराज्ये विमलनाथप्रासादे श्रीतपागच्छे विमलचंद्रगणिउपदेशेन श्रीहेमविमलसूरिविजयराज्ये श्रीवीरमगिरीसंघेन नवचतुष्किका कारापिता । स्त्रधारधारसीपुत्र रावत. केन कृतं श्रीरस्तु शुभं ॥ संवत् १५६८ वर्षे आषाढ सुदि ५ दिने गुरुपुष्यनक्षचे राउल श्रीउपकर्णविजयराज्ये श्रीविमलनाथप्रासादे श्रीतपागच्छे भट्टारिकप्रभुश्रीहेमविमलसरिशिष्य चारित्रगणिनामुपदेशेन श्रीवीरमपुरवासि सकलश्रीसंधेन कारापिता रंगमंडपः सूत्रधारदोलाकेन कृतं शुभं भवतु श्रीरस्तु." આ સિવાય ૧૬૩૩ અને ૧૮૬૫ના પણ લેખે છે. લંબાણના ભયથી નથી આપ્યા. આ મંદિર સુંદર કળામય અને દર્શનીય છે. ૩ ત્રીજું મંદિર શ્રી શાન્તિનાથજીનું છે. ઉપરનાં અને મંદિરે કરતાં ઊંચા ભાગમાં બન્યું હોવાથી આ મંદિરની ઊંચાઈ બન્ને કરતાં વધુ છે તેમજ આ મંદિર પહેલું પણ સારું છે. મૂલનાયકની જમણી બાજુમાં આવ્યું છે. અને દૂર દૂરથી આ મંદિરનાં દર્શન થાય છે. આ મંદિર શેઠ માલાશાહે બંધાવ્યું છે. આ મંદિર ની સ્થાપના માટે જુદી જુદી ત્રણ કિ વદન્તી ચાલે છે પરંતુ ત્રણેને મળવાન એક જે છે– ૧. માલાશાહ એક વાર નાકેડા પાર્શ્વનાથજીનાં દર્શન કરવા ગયા. ત્યાં દર્શન કરી એક શ્રાવકને કહ્યું કે આ મંદિર ઊંચાણમાં બંધાવ્યું હોય તે સારું. પાસેના શ્રાવકે કહ્યું કે ત્યારે તમે જ બધાને? આ સાંભળી માલાશાહ ઘેર ગયા. - ૨. બીજી બાજુ એવું બને છે કે એમનાં સ્ત્રી દર્શન કરવા ગયાં છે. આગળ બેઠેલી સ્ત્રીઓને તેમણે કહ્યું લગાર પાછાં બેસે, અમારે જહદી ચિત્યવંદન કરવું છે. સ્ત્રીઓએ કહ્યું ઉતાવળ હોય તે તમે જ મંદિર જુદુ બ ધાવી હશે અને એમાં સૌથી આગળ બેસી તમે જ પહેલું ચૈત્યવંદન કરજો. આ સાંભળી માલાશાહના પત્ની ઘેર આવ્યાં. પતિપત્નીએ આ વસ્તુની આપસમાં વાતચિત કરી, પછી આહારપાણીને ત્યાગ કરી દેવી ચકેશ્વરીની આરાધના કરી. રાત્રે દેવીએ પ્રગટ થઈને કહ્યું તમે ચિંતા ન કરશો. તમારા પાણીના ટાંકા ઉપર તમને જે મળે તે હવારમાં લેજો. બસ બધું કામ પાર પડી જશે. હવારમાં ટાંકા ઉપર જોયું તે સુંદર પારસમણિ ચળકતે હતે. માલાશાહે સોનું બનાવી આ સુંદર મંદિર બંધાવ્યું. ૩. માલાશાહનાં માતાજી દર્શન કરવા ગયાં ત્યાં એમણે વાતચિતમાં મંદિરની ત્રુટીઓ બતાવી. પાસે રહેલી સ્ત્રીએ કહ્યું. માજી તમે ષ રાહત મંદિર બંધાવે, બીજાના દોષ આપણે ન જોઈએ. માતાએ ઘેર જઈ પુત્રને આ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy