SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૩૯ : બીજો લેખ " संवत् १६८२ वर्षे आषाढशुदि ६ सोमवारे राउल भी जुगमालजिराज्ये श्रीपल्लियगच्छे श्रीसंघेन श्रीपार्श्वनाथचैत्ये नंदीमंडपकारापिता उपाध्यायश्रीसिंहलेखितं सूत्रधार मेधा, सुत्र तारा कारीगर करमा शुभं भवंतु श्रीसंघस्य श्रियेऽस्तु" આ મંદિરને દરવાજે ૧૬૨૧માં બન્યાને લેખ છે.. ૨. આ સિવાય બીજું મંદિર શ્રી ઇષભદેવજીનું છે. આ મંદિર લમીબાઇએ બંધાવેલું હોવાથી લક્ષ્મી(લછી)બાઈનું મંદિર કહેવાય છે. મૂળનાયક શ્રી ઋષભદેવજીની પ્રતિમાજી લગભગ ત્રણ ફુટ ઊંચી ભવ્યમૂર્તિ છે. બન્ને બાજુ લગભગ બે પુટની બદામી રંગની સુંદર પ્રતિમાઓ છે. આ મંદિરમાં લગભગ ૩૫ મતિઓ છે. - મંદિરની ડાબી બાજુ સુંદર મજબૂત ભેંયરું છે. મૂલમંદિર સિવાયનો બાકીને હિસે વીરમપુરના સંઘે પાછળથી બનાવેલ છે, જેને શિલાલેખ આ પ્રમાણે છે. संवत् १६६७ वर्षे शाके १५३३ वर्तमाने द्वितीय आषाढ शुदि६ दिने शुक्रवारे उत्तराफाल्गुनीनक्षत्रे राउलश्री विजयसिंहजिविजयराज्ये श्रीनिमलनाथप्रासादे तपागच्छे भट्टारक श्री पू. श्री विजयसेनरिविजयराज्ये आचार्यश्रीविजयदेवमूरिविजयराज्ये श्रीविरमपुरवासिसकल श्रीसंघकारापिता शुभं भवतु सुत्रधारकसना पवाइणकेन कृता, मुनिसाजिदासेन लिखितं श्रेयोऽस्तु" ૧ આ મંદિર માટે બે પ્રકારની કિવદન્તી ચાલે છે. “લક્ષ્મી નામની એક ગરીબ વિધવા કે જે વીરમના વાસી માલાશાહ અંકલેચાની બહેન થતી હતી. એક વાર પિતાની ભાભી સાથે પાણી ભરવા ગઈ ત્યાં લક્ષ્મીએ જલ્દી જલ્દી પાણું ભરવા માંડયું.. ભાભીએ ટેણું મારતાં કહ્યું કે આટલી શી ઉતાવળ છે ? તમારે તે કઈ મંદિર બનાવવાની વેળા છે કે આટલી જલદી કરે છે. લક્ષ્મીબાઈથી આ ઉપાલંભ સહન ન થયું. ઘેર આવી ચેવિહારો અઠ્ઠમ કરીને દેવની આરાધના કરી. દેવતા પ્રસન્ન થયા અને દેવની કૃપાથી ઉત્તમ શીલાવટને બોલાવી સુંદર મંદિર બનાવ્યું. અને તપાગચ્છીય આચાર્યશ્રી હેવિમલસરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી છે. બીજી કિંવદન્તી પ્રમાણે લક્ષ્મીબાઈ લાખો રૂપીઆની માલીક હતી પરંતુ એને પુર ન હતો. શ્રી હેમવિમલસૂરિજીના ઉપદેશથી એની લક્ષ્મી સત્કાર્યમાં ખર્ચવાની એની ભાવના થઈ. ગગનચુખી સુંદર કલામય ભવ્ય જિનમંદિર બંધાવ્યું. અને વિ. સં. ૧૫૬૮બા વૈ શુ. ૬ ના તપાગચ્છીય આચાર્યવર્ય શ્રી હેમવિમલસૂરિજીના હાથે શ્રી ઋષભદેવજીની સુંદર પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને મૂલનાયક સ્થાપ્યાં. અહીં વિ. સં. ૧૫૦૦માં કહે છે કે શ્રાવકનાં ૧૫૦૦ ઘર હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy