________________
સુવર્ણગિરિ
ઇતિહાસ ]
: ૩૪૧ : સુવર્ણગિરિનાં મદિરે ધ્વસ્ત કર્યા છે. સુપ્રસિધ્ધ આબૂનાં મંદિરની સ્પર્ધા કરતાં કરણીવાળાં જિનમંદિર થોડા જ વખતમાં ઉજજડ થઈ ગયાં, દહેરીએ અને કેરિણવાળા ઘુમટેના પત્થરે સુદ્ધાં ત્યાંથી ઉપડી જતાં ભગ્નાવશેષ જેવાં તેનાં શિખરે પ્રાચીનતાની સાક્ષી આપવાનું બાકી રહી ગયાં.
પુનરાધાર-ઘણાં વર્ષો સુધી સુવર્ણગિરિનાં વિસ્ત મંદિરોને પુનરુદ્ધાર ન થયે. છેવટે જોધપુરના રહેવાસી અને જાલોર રાજ્યના સર્વાધિકાર મંત્રી જયમલજી મુહત એક ભાગ્યશાલી પુરુષ થયા. તેમણે જાલેરના પિતાના અધિકાર દરમ્યાન વિ. સં. ૧૬૮૧, ૧૬૮૩ અને ૧૬૮૬ આમ ત્રણ વાર અંજનશલાકાએ કરાવી હજારો જિનપ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવી, જેમાં વિ. સં. ૧૬૮૩ની પ્રતિષ્ઠા તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયદેવસૂરિ અને તેમના અનુયાયી સહજસાગરગણિતના શિષ્ય જયસાગરગણિના હાથે કરાવી સેકડે વર્ષથી ઉજડ થયેલાં સુવર્ણગિરિનાં જિનમંદિરમાં જિનપ્રતિમાઓને સ્થાપના કરી હતી જે અદ્યાવધિ વિરાજમાન છે. પ્રતિષ્ઠા ઉત્સવોમાં અને મંદિરના ઉધ્ધારમાં શેઠ જયમલજીએ અનલ દ્રવ્ય ખર્યું હતું.
સુવર્ણગિરિ અત્યારે સોનગઢ જાલોરનો કિલ્લો અને જાલોરનો ગઢ આમ અનેક નામોથી ઓળખાય છે. જાલોરવાસીઓ તેને ગઢ તરીકે અને બહારગામના મનુ જાલોરનો ગઢ આ નામથી એને વિશેષ ઓળખે છે સેવનગઢ આજ પણ આ પ્રદેશના જૈનોમાં તીર્થરૂપે પ્રસિદ્ધ છે. ભાદરવા વદિ દશમે અને મહા શુદિ ૧ વર્ષમાં બે વાર મેળો ભરાય છે ગઢ ઉપર ૧૦-૧૨ સરકારી માણસે રહે છે. ઉપર જનારને ચીઠ્ઠી જરૂર લઈ જવી પડે છે. નીચે ચીઠ્ઠી મલે છે. શહેરના નશ્વત તરફના છેડાથી ગઢ ઉપર ચઢવાનો રસ્તો શરૂ થાય છે. ચાર મેટા દરવાજા અને લગભગ દોઢ માઈલ જેટલે ચઢાવ ચઢતાં ગઢની અંદર જવાય છે ચેથા દરવાજાની અંદર પગ મૂકતાં જ સિપાઈ ચીઠ્ઠી માંગે છે. થોડે આગળ જતાં જમણી તરફ ગગનચુમ્બી શિખરવાળા ભગવાન મહાવીરના મંદિરનાં દર્શન થાય છે અને દશેક પગલાં આગળ વધીને ડાબી તરફ જતાં છેક પાસે જ સિંહનિષદ્યાના આકારનું અષ્ટાપદાવતાર ઊકે મુખજીનું અપૂર્વ દેહરૂં જણાઈ આવે છે. ચોમુખજીથી પૂર્વમાં અને મહાવીર ભગવાનના મંદિરથી જરા ઈશાન તરફ પાર્શ્વનાથજીનું પ્રાચીન શેલીનું ચૈત્ય આપણું નજરે ચઢે છે. આમાં મહાવીરસ્વામીનું મદિર સુંદર બે માળનું અને વિશાળ છે. દર્શકે ને તારંગાના મંદિરની યાદી આપે છે. ચામુખજીનું મંદિર કેરણીમાં સુંદર છે અને પાર્શ્વનાથજીનું મંદિર પ્રાચીનતાનું ભાન કરાવે છે.
ગઢમાં જૈન મંદિરો ઉપરાંત રાજમહેલે, કેટલાંક સરકારી મકાનો, શિવમંદિર, બે ધર્મશાળાઓ, બે વાવડીઓ, ટાંકાં, વીરમદેવકી ચેકી, મસીદ વગેરે જોવા લાયક છે. ગઢ ઉપર રાતવાસો નથી રહેવાતું-સરકારની મનાઈ છે એટલે યાત્રિકો દર્શનપૂજન કરી પાછા આવી જાય છે. ચઢતાં દોઢ કલાક અને ઉતરતાં અધે પણે કલકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com