________________
ઈતિહાસ ]
: ૩૩૭ :
રાતા મહાવીર અહીંની જનતા ભાવિક, ધર્મપ્રેમી છે. ઘણે ભાગ વ્યાપારી હોવાથી બહાર રહે છે. સુંદર બાવન જિનાલયનું મન્દિર છે. ધર્મશાળા, ઉપાશ્રય, લાયબ્રેરી વગેરે છે.
સેમેશ્વર, દેસુરી થી ૪ માઈલ પૂર્વમાં આ ગામ આવ્યું છે. અહીં પ્રાચીન જૈન મંદિર બહુ જ સુંદર છે. મૂળનાયક શ્રી શાંતિનાથજી છે. ગોડવાડની નાની પંચતીર્થમાં આ તીર્થનું સ્થાન મનાય છે. નાણા, બેડા, રાતા મહાવીર, સેવાડી અને સોમેશ્વર શાન્તિનાથ આ પાંચ ગામની નાની પંચતીથી કહેવાય છે. હમણાં સુંદર અધ્યાર થયેલ છે. ધર્મશાળા છે.
રાતા મહાવીર આર. એમ. આર રેલવેના એરનપુરા ટેશનથી પૂર્વ દિશામાં ૧૪ માઈલ દૂર વિકટ પહાડીઓની વચ્ચે આ તીર્થસ્થાન આવ્યું છે. તેમજ પગરસ્તે સેવાહીથી વિજાપુર જવાય છે. અહીં સુંદર જિનમંદિર છે. ધર્મશાળા-ઉપાશ્રય છે. વિજાપુરથી રા માઈલ દૂર જંગલમાં રાતા મહાવીરનું તીર્થ આવ્યું છે. અહીં સુંદર પ્રાચીન ૨૪ જિનાલયનું ભવ્ય મંદિર છે. ભગવાન મહાવીરદેવની સુંદર લાલ રંગની રા હાથ ઊંચી ભવ્ય મૂતિ મૂલનાયક છે. એટલે શ્રી રાતા મહાવીર તરીકે આ તીર્થ પ્રસિદ્ધ છે. શીતવિજયજી પોતાની પ્રાચીન તીર્થમાલામાં લખે છે “પતિ વીર
* સેવાડી–અહીં બસો ઘર જૈનેનાં છે. બે મોટી ધર્મશાળાઓ છે, ઉપાશ્રય છે અને બજાર વચ્ચે જ બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. મૂલનાયકજી મહાવીર પ્રભુની ના હાથની સુંદર દર્શનીય મૂર્તિ છે. આ મંદિર બારમી સદી બનેલું છે તેમજ ૧૨૪૪ના માઘ શુદિ ૧ રવિવારે પ્રતિષ્ઠિત કરેલી સંડેરકચ્છીય શ્રી યશોભદ્રસૂરિજીની પરંપરાના આચાર્ય શ્રી ગુણરત્નસૂરિજીની મૂર્તિ પણ બિરાજમાન છે. આ સિવાયના અહીંના મંદિરમાં ૧૧૬૭, ૧૧૯૮-૧૨૫૧, ૧૨૧૩ના પ્રાચીન લેખ છે, જેમાં દેરીઓ બનાવ્યાના, દાનના લેખો છે. તેમ કેટલીક દેરીઓની ભીંતે ઉપર, થાંભલા ઉપર પણ લેખો દેખાય છે કિન્તુ ઘસાઈ ગયેલા–છ છે. વિ. સં. ૧૧૭૨ના લેખમાં મહારાજાધિરાજ અશ્વરાજના પુત્ર યુવરાજ કટુકરાજ શાંતિદેવની પૂજા માટે દરવર્ષે ૮ દ્રમ્મ આપતા તેનો ઉલ્લેખ છે. અને આ દાન યાવચ્ચદ્રદિવાકરી આપવાની વિજ્ઞપ્તિ છે. વિ. સં. ૧૧૬૭ના એક લેખમાં મંદિર માટે અમુક ખંડેરોમાંથી અમુક ધન મળે તેને પણ ઉલ્લેખ છે. ગામ બહાર પશ્ચિમ દિશામાં પુરાણું વાવડીની પાસે શિખરબધ્ધ નવું સુંદર મંદિર બનેલું છે. જેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય ભગવાન છે. તેમજ મંદિરની પાસેથી એક છત્રીમાં શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ વગેરે છે. - નાની મારવાડ અને મોટી મારવાડમાં ગામેગામ ભવ્ય મંદિર છે. ઉપાશ્રય છે. શ્રાવકની વસ્તી છે. સાધુ મહાત્માઓના વિહારમાં દરેક ગામે આવે છે. આ બધાં મંદિર-સ્થાને તીર્થ જેવાં જ હોય છે પરંતુ સ્થાનાભાવથી કેટલાને પરિચય આપો?
૪૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com