SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૩૩૧ : નલીયા | ગભારાની બહાર બે બાજુ બે પ્રાચીન પ્રતિમાઓ છે. બન્નેની નીચે આસનમાં વીણાધારી પક્ષયક્ષીણ બેઠા છે. કમલની આકૃતિનું સુંદર આસન છે. પ્રતિમાજી નીચે આસનમાં ખરોષ્ટ્રીલીપીમાં લખે છે (અશોકના શિલાલેખને મલતી લીપી છે.) મંદિરમાં પેસતાં પ્રથમ દરવાજા પાસેના ડાબા થાંભલામાં આ પ્રમાણે લેખ છે. લેખમાં પહેલું જ “ નિર" વંચાય છે. પછી “લંઘન ૨૨૨૦ ૨ વેણ શુરિ ૩ ૪ જુન મીર કુરાન બળ દેશો મીમેન એ રતઃ ” આ સિવાય રંગમંડપના બીજા થાંભલાઓ ઉપર પણ લે છે. એમાં નામો તે વંચાય છે પરંતુ સંવત નથી વંચાતા. રંગમંડપ પાસેના જમણી બાજુના થાંભલા ઉપર “વંગર ૨૨૦૨ બારણા પુરિ ૨૦ મન્નેિ” બસ આગળ નથી વંચાતું. આ સિવાય દેરીઓ ઉપર પણ લેખે વંચાય છે જેમાં ૧૪૨૯-૧૪૮૭–૧૪૯૩ અને ૧૫૧ના લેખે છે. બીજા પણ ઘણા લેખ હતા પરંતુ હમણુ અહીં છક્કારનું કાર્ય ચાલે છે તેમાં ઘણું લેખો દટાઈ ગયા છે, દાબી દીધા છે અને કેરીઓ ઉપર પલાસ્તર થવાથી કેટલાક દબાઈ ગયા છે. મંદિરનાં પગથિયાં ઉતરતાં પગથિયાના પાછલા ભાગમાં જમણી તરફ આ પ્રમાણે લેખ છે. "संवत् ११३० (२०) वैशाखसुदि १३ नंदियणकचैत्यद्वारे वापी હિની વિરા સિવાળે ” સંવત્ ૧૧૩૦(ર૦)માં મંદિર પાસે વાવ કરાવ્યાને આ લેખ છે. આ વાવ અત્યારે પણ મંદિરથી થોડે દૂર છે તેમજ ત્યાં લેખ પણ છે. આ મંદિરમાં અત્યારે ૮ લગભગ પ્રભુભૂતિઓ છે. યક્ષયક્ષિણી વગેરે જુદા છે. અત્યારે જીર્ણોદ્ધાર ચાલતો હોવાથી દેરીઓની બધી મૂતિઓ રંગમંડપમાં પધરાવેલ છે. મૂલગભારામાં બિરાજમાન અદભૂત મહાવીર પ્રભુની પરિકર સહિતની એક જ મૂર્તિ છે. જાણે વૃથાવસ્થામાં સાક્ષાત વીર પરમાત્મા બિરાજમાન હેાય એવી અદ્દભૂત આ મૂર્તિ છે. ગૂઢમંડપમાં ચાર મૂર્તિઓ છે અને રંગમંડપમાં બે ગોખલામાં બે મર્તિ બિરાજમાન છે અને બીજા બે ગોખલામાં બે ભગવાન બિરાજમાન થવાના છે. જીર્ણોદ્ધાર સાથે થયો છે. મુંબઈના ગોડીજી મહારાજના મંદિર તરફથી અને મુંબઈના વેતાંબર શ્રી સંઘ તરફથી મદદ સારી મળી છે. મોટા મંદિર પાસે જ ચંડકોશ નાગ હસે છે તે હકીકતને દર્શાવતા પ્રસંગની દેરી ઊંચી ટેકરી ઉપર છે. તીર્થ પ્રાચીન અને પ્રભાવિક છે. રાણકપુરનું પ્રસિદ્ધ મંદિર બંધાવનાર દાનવીર અને ધર્મવીર પરવાહ શેઠ ધનાશા અને રતનાશા પણ આ નાદીયાના નિવાસી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy