________________
રાણકપુરજી
: ૩૧૮ :
| જૈન તીર્થોને લેવાની ઈચ્છા થઈ. આ મંદિર બનાવવામાં લગભગ ૯ લાખ સેનેયાને (૧૫ કરોડ રૂપિયા ખર્ચ થયો.
વિ. સં. ૧૪૯૯માં બૃહત્ તપાગચ્છીય શ્રી સમસુંદરસૂરિજી મહારાજના હસ્તે મહાન ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. મંદિરનું નામ સૈયદીપક દેવાલય, યાને ધરણવિહાર પ્રસિદ્ધ છે. રાણકપુરજી એટલે “નલિનીગુભ વિમાન યાને કળાકૌશલ્યને આદર્શ નમૂને.
દેરાસરનું બાંધકામ સેવાડી તેમજ સેનાણાના આરસ પત્થરથી કરવામાં આવ્યું છે. પચીસથી ત્રીસ પગથિયાં ચઢ્યા પછી દેરાસરની પ્રથમ સપાટી ઉપર અવાય છે. આટલી ઊંચે અને વિશાલ પાયે જતાં મંદિરમાં કેટલો ખર્ચ થયે હશે તેની કલ્પના થઈ શકે છે. સપાટી ઉપર આવતાં જ મુખ્ય દ્વારમાં પ્રવેશ થાય છે. મંદિરમાં પ્રવેશ કરવાને ચાર મુખ્ય દરવાજા બનાવવામાં આવ્યા છે. પ્રત્યેક દરવાજાની બનાવટમાં હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. દેરાસરમાં ૧૪૪૪ થાંભલા છે. કેટલાક થાંભલાની ઊંચાઈ ૪૦ થી ૪૫ ફૂટથી પણ વધારે છે. આવા કેરણીવાલા થાંભલા આજે દસ હજારની કિંમતે થવા પણ મુશ્કેલ છે. તેની ઉપર સુંદર આરસના મજબૂત પાટડા છે. મંદિરમાં ચારે ખૂણે બન્ને દેરાસરે છે. તેના રંગમંડપ, સભામંડપ તથા મુખ્ય મંડપ પણ અલગ અલગ છે. કુલ મળીને ૮૪ શિખરબધ્ધ દેરીઓ છે. - મન્દિરછમાં મૂલનાયક ચૌમુખની ચાર મૂર્તિઓ છે. પશ્ચિમ તરફની ભૂલનાયકજીની ભવ્ય મૂતિ ઉપર સં. ૧૪૯૮ને લેખ છે, ઉત્તર તરફની મૂર્તિ ઉપર ૧૬૭૯ પૂર્વ તરફની મૂર્તિ ઉપર ૧૪૮ અને દક્ષિણ તરફની મૂતિ ઉપર પણ ૧૪૮ને લેખ છે. મૂલનાયકના દરવાજા પાસે લગભગ ૪૫ પંકિતને લાંબે લેખ છે, જેમાં સં. ૧૪૬ બાદમાં મેવાડના રાજા બમ્પ અને ગુહિલ વગેરે રાજાઓની ૪૦ પેઢીનાં નામ છે–વંશાવળી છે. બાદમાં ૩૯ મી પંક્તિમાં પરમાર્હત્ ધરણાશાહ પિરવાડે. આ મંદિર નિર્માણ કરાવ્યાને ઉલ્લેખ છે. ૪૨ મી પંક્તિમાં લખ્યું છે કે “કે લોકારી ક્રામિષાર શીવતુaptીશ્વષાારિતઃ” ત્યારપછી પ્રતિષ્ઠાપક બહતપાગચ્છ શ્રી જગચંદ્રસૂરિ-રેવેન્દ્રસૂરિ ” આગળની પંક્તિ ખંડિત છે, કિન્તુ તપગચ્છના આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરાવ્યાનું લખ્યું છે.
મંદિરના બીજા માળ ઉપરની ખૂબી તે ઔર મહત્ત્વની છે. હુબહ દેવવિમાનને નકશ-નકલ જોઈ લે. અહીં પણ મૂલનાયક મુખજી જ છે. લેખે ૧૫૦૭, ૧૫૦૮, ૧૫૫૧ અને ૧૫૦૬ની સંવતના છે. ત્રીજા માળની ખૂબી તે એથી યે વધી જાય છે. અહીં પણ ચામુખજી છે. મંદિરજીની ૮૪ દેરીઓ ઘુમટી
* શ્રી સોમસુંદરસૂરિજીનું જીવનવૃત્તાંત સમસૌભાગ્ય કાવ્યમાંથી જોઈ લેવું. તેમાં રાણપુરના મંદિરની પ્રતિષ્ઠાનો તથા રાણકપુરનો પણ વિસ્તારથી ઉલ્લેખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com