SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ સાયોર : ૩૧ર : [ ન તીર્થોને સાચાર સુપ્રસિદ્ધ વિદ્યાવિલાસી અને દાનવીર મહારાજા ભોજરાજાના સમયના પ્રસિદ્ધ જૈન મહાકવિ ધનપાલ અહીં આવ્યા હતા અને તેમણે “સત્યપુરીમંડન મહાવીર ઉત્સાહ” તેંત્ર રચ્યું અને બીજું વિરોધાભાસ અલંકારથી અલંકૃત શ્રી મહાવીર સ્તુતિતેષ બનાવ્યું છે જે વાંચતાં કવિની ભક્તિ અને તીર્થમાહાઓને પરિચય ખૂબ થઈ જાય છે. તેત્ર ૧૫ ગાથાનું છે. સત્યપુરમંડન મહાવીર ઉત્સાહ સ્તુતિમાં કવુિં જણાવે છે કે “ોટિ-સિરિણા-વાર-સાહાહુ-નાખવું, अणहिलवाडउं, विजयकोड, पुणपालि-तणुं । पिक्खिवि ताव बहुत्त ठाम मणि चोज्जुपईसइ, जअज्जवि सच्चउरी वीरु लोयणि हिन दीसह ॥" ભાવાર્થ—“કેરીટ, શ્રીમાલ, ધાર, આહાડ, નરાણા, અણહિલવાડ, વિજયકોટ અને પાલીતાણા વગેરે સ્થાનમાં ઘણું દેવમૂર્તિઓ જોઈ પણ સાચેરના મહાવીરને જોઈને જેવું મન ઠરે છે તેવું કયાં કરતું નથી. ” અર્થાત તે વખતે સત્યપુર મહાવીર ઘણું જ મહત્વનું સ્થાન હશે. ગાથા ૫-૬-૭ માં કવિરાજ લખે છે કે “સાચારના આ મહાવીર ઉપર તકે સિવાય બીજો પણ હલે થયો છે જેમાં કેઈ જેગ નામના રાજાએ ઘોડા અને હાથીઓને જેડી ભગવાનની મૂર્તિને દેરડાઓ વડે તારું કાઢવાનો પ્રયત્ન કર્યો છે; તેમજ કુહાડીના ઘા મારીને પણ એ મૂતિ તેડી નાંખવાને ઉપાય અજમાવી જે છે. છતાં એ મૂતિ દેવબળે સ્થિર થઈને રહી છે અને એના ઉપર લાગેલા કુહાડાના ઘાના નિશાન આજે પણ નજરે દેખાય છે. એ જ કવિ દરેક તીર્થોમાં આ તીર્થની મહત્તા વર્ણવ્યા પછી પણ ભક્તિથી ગાતાં જણાવે છે કે-“તુરકેએ શ્રીમાલદેશ, અણહીલવાડ, ચડ્ડાવલી (ચંદ્રાવતી), સોરઠ, દેલવાડા અને સોમેશ્વર એ બધાં સ્થાને નાશ કર્યો હતો પરંતુ એક માત્ર સાચારના મહાવીરને (મંદિરને) તેઓ નથી ભાંગી શકયા.” (ખરે જ ભક્ત કવિની વાણું આ કલિકાલમાં ન જળવાઈ અને પાછળથી શાસનદેવના પ્રમાથી મુસલમાની હુમલામાં મંદિરને નુકશાન થયું છે.) અગિયારમી ગાથામાં કવિરાજ તીર્થની મહત્તા લખતાં વધુ જણાવે છે કે " जिम महंतु गिरिवरह मेरु गहगणह दिवायरू, जिम महंतु सु सयंभुरमणु उवहिहिं रयणायरू । जिम महंतु सुरवरहमज्झि सुरलोइ सुरेसरू, तिम महंत तिमलोयतिलउ सच्चउरिजिणेसा ॥ ११ ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy