________________
શ્રી રાવલા પાર્શ્વનાથજી : ૩૦૬ :
[ જૈન તીર્થોન ભરવાડણે આ નજરે જોયેલી હકીક્ત ધાન્યલ શેઠ વગેરે મુખ્ય મુખ્ય પુરુષને કહી. તેમણે પણ આ સ્થાન જાતે જઈને નજરે જોયું અને તેમને પણ આશ્ચર્ય થયું. પછી રાત્રે નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને સૂતા હતા ત્યારે રાત્રે લીલા ઘોડા ઉપર બેઠેલા સુંદર સ્વરૂપવાન પુરુષે સ્વપ્નમાં શેઠને કહ્યું કે-જે જગ્યાએ તારી ગાય દૂધ ઝવે છે ત્યાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, હું તેમને અધિષ્ઠાયક દેવ છું. દેવાધિદેવની મહાપૂજા, પ્રભાવના થાય એવું તું કર.” આમ કહી દેવ અંતર્થોન (અદશ્ય) થયા. પ્રાતઃકાલે શેઠે ત્યાં જમીન ખોદાવી અને શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિને બહાર કાઢી રથમાં બેસારી, એટલામાં જીરાપલ્લી ગામનાં માણસે આવ્યા. સ્મૃતિને જોઈને તેઓ બોલ્યા-અમારા સીમાડામાંથી નીકળેલી મૂતિને તમે કેમ લઈ જાઓ છો? આ સ્મૃતિ અમે લઈ જઈશું. આમાં બન્ને પક્ષોને વિવાદ થયે. પછી વૃદ્ધ માણસોએ કહ્યુંભાઈઓ, વિવાદ શા માટે કરે છે? રથને એક બળદ આપણે જોડે અને એક બળદ જીરાવલાને જોડે, એમ બે બળદ જોડે. એ બળદ એની મેળે રથને લઈ જાય ત્યાં મૂતિ જાય. આ પ્રમાણે કરવામાં આવ્યું. બળદ રથને જીરાપલ્લી તરફ લઈ ગયા. જીરાવલાના મહાજને ઉત્સવપૂર્વક પ્રભુજીને નગરપ્રવેશ કરાવ્યું.
અહીં શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર હતું. શ્રી સંઘે સર્વ સંઘની અનુમતિ લઈ ભૂલનાયકજીને અન્યત્ર પધરાવી તે રથાને શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી. આ પ્રતિષ્ઠા શ્રી અજિતદેવસૂરિજીએx ૧૧૯૧ માં કરાવી છે.
પ્રતિષ્ઠા પછી ટૂંક સમયમાં જ આ સ્થાન તીર્થરૂપે પ્રસિદ્ધિ પામ્યું. તીર્થને મહિમા વળે. અનેક લોકે ત્યાં આવતા અને વિવિધ પ્રકારના અભિગ્રહ રાખતા, અને તેમના અભિગ્રહે અધિષ્ઠાયક દેવે પૂર્ણ કરતા હતા, જેથી તીર્થને મહિમા ચોતરફ ફેલાવા માંડ્યો. તીર્થની વ્યવસ્થા “ધાન્જલ” શેઠ કરતા હતા.
એક વાર જાવાલીપુરથી મુસલમાની સેના ચઢી આવી. અધિષ્ઠાયક દેવે તીર્થરક્ષા કરી–સેના લઈ સામે જઈ યુદ્ધ કર્યું અને મુસલમાન સેનાને નસાડી મૂકીતેને પરાજિત કરી સેના તે હાર ખાઈ ચાલી ગઈ પરંતુ તેમાં સાતશેખ મોલવીઓ હતા. તેઓ જૈન સાધુનો વેશ પહેરી, ગુપ્ત રીતે મંદિરમાં રાત રહ્યા. પિતાની સાથે ગુપ્ત રીતે લેહીના ભરેલા સીસા લાવ્યા હતા, તેમાંથી લેહી કાઢીને છાંટયું, મંદિર અપવિત્ર કર્યું અને મૂર્તિને ખંડિત કરી. લેહીના સ્પર્શથી દેવને પ્રભાવ ચાલ્યો જાય છે-આવાં શાસ્ત્ર વચન છે. મૂર્તિને ખંડિત કર્યા પછી શેખેને પણ ચેન ન પડયું. હવારમાં લોકેએ આ જોયું. ત્યાંના રાજાએ તેમને પકડયા અને મારી નંખાવ્યા. આવા ઘોર પાપનું ફલ તત્કાલ જ મલે છે.
* પાર્શ્વનાથ ભગવાનનું નવું ભવ્ય જિનમંદિર બનાવ્યું અને નવા મંદિરમાં પાર્શ્વનાથ ભગવાન સ્થાપિત કર્યો.
* શ્રી અજિતદેવસૂરિજી બારમી શતાબ્દીના પ્રસિદ્ધ આચાર્ય છે. તેઓ વાદિ શ્રી દેવઅશ્વિના ગુરુભાઈ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com