SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ મોટા પસીનાજી : ૩૦૨ : [ જન તો નો મેટ પસીનાજી આ પ્રાચીન તીર્થ ઈડર સ્ટેટની ઉત્તરે અને મેવાડ ને મારવાડની સરહદ પર આવેલું છે. અહીં પ્રાચીન ભવ્ય સુંદર જિનમંદિર છે જેમાં અનુક્રમે શ્રી મહાવીર સ્વામી પ્રભુ, શ્રી નેમિનાથ પ્રભુજી, શ્રી પાર્શ્વનાથ પ્રભુજી અને શ્રી શાંતિનાથ પ્રભુજી મૂલનાયક તરીકે બિરાજમાન છે. આમાં શ્રી મહાવીર પ્રભુજીના મંદિર સિવાયનાં ત્રણ મંદિરે તે એક જ કમ્પાઉન્ડમાં એક સાથે જ આવેલાં છે. શ્રી મહાવીર પ્રભુનું મંદિર ગામ બહાર બગીચામાં છે. મૂર્તિઓ સુંદર અને પ્રાચીન છે. ચૌદ, પંદર અને સોળમી તથા સત્તરમી સદીના લેખ મળે છે. પ્રતિમાજી ચમત્કારી છે. પોષ દશમને મેળે પણ ભરાય છે. હમણાં સુંદર જીર્ણોધ્ધાર થયા છે. સુંદર એકાંત સ્થાનમાં આવેલા આ તીર્થની યાત્રાને લાભ જરૂર લેવા જેવો છે. આ પિસીનાજીના મંદિરનો જીર્ણોદ્ધાર મહાપ્રતાપી જગદ્ગુરુદેવ શ્રીવિજયહીરસૂરીશ્વરજીના પ્રશિષ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજે કરાવ્યું હતો. જુઓ તેનું પ્રમાણ " ततः संघेन सार्द्ध श्रीमारासणादि तीर्थयात्रां कुर्वाणाः पोसीनाख्यपुरे पुराणानां पंचप्रासादानां श्राद्धानामुपदेशद्वारेण बहुद्रव्यव्ययसाध्यमपि तदुद्धारं વારિતવત: .” આચાર્ય વિજ્યદેવસૂરિજી સંઘ સાથે આરાસણાદિ (કુંભારિયાજી વિગેરે) તીર્થોની યાત્રા કરતાં પિસીને પધાર્યા અને ત્યાંનાં પ્રાચીન પાંચ મંદિરોને પુષ્કળ દ્રવ્ય ખર્ચાવીને જીર્ણોદ્ધાર કરાવ્યો. આ શ્રીવિજયદેવસૂરિજીના ઉપદેશથી આરાસણ-કુંભારીયાજીના જિનમંદિરોનો જીર્ણોદ્ધાર થયા હતા અને પ્રતિષ્ઠા પણ સૂરિજીના હાથે જ થઈ હતી. આ પ્રતિષ્ઠા સમયે સૂરિજી કુંભારીયા પધાર્યા ત્યારે પોસીના પધાર્યા હતા અને ઉપર્યુક્ત છણેધ્ધાર કરાવ્યો હતે. તે વખતે પાંચ પ્રાચીન મંદિરો તે હતાં એ ઉપરને ઉલેખ છે. અત્યારે ચાર મંદિર છે, પરંતુ તેમનાથજીનાં મંદિર સામે બીજું દેરું છે તેને ગણતાં અત્યારે પણ પાંચ મંદિર ગણાય છે, એ ભેગાં ગણે તે ચાર ગણાય છે. અથવા તે તે વખતે પાંચ મંદિરે હોય એમ પણ બને. ગામમાં ઉપાશ્રય, ધર્મશાળા અને શ્રાવકનાં ૮-૧૦ ઘર પણ છે. શ્રાવક ભક્તિવાળા અને ધર્મપ્રેમી છે. પસીના જવા માટે અમદાવાદથી ઉપડતી પ્રાંતીજ લાઈનથી ખેડબ્રહ્મા સ્ટેશનથી સાધન મળે છે. તેમજ આબુરોડથી કુંભારીયાજી થઈ બાર ગાઉ દૂર ગાડાં અને ઉટ રસ્તે પણ જવાય છે. તારંગાજીથી મોટર રસ્તે ૨૫ માઈલ દૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy