SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૩૦૧ : આરાસણ-કુંભારીયાજી મિતિ, સ્તંભેા, કમાના જે એક જ શૈલીની છે અને જે વિમલશાહનાં આમૂનાં મદિરાને તદ્ન મળતી છે, તે ઉપરથી સૂચિત થાય છે અને કહેવાય પણુ છે કેઆ મંદિર વિમલશાહે જ ખધાવેલાં છે. કારીગરી જોતાં જૈન દેવાલયાની મિતિ અગિયારમી સદીના મધ્ય ભાગમાં હાય એમ સ્પષ્ટ રીતે નક્કી થાય છે. વળી શાંતિનાથના દેવાલયમાં પ્રતિમાએ ઉપર ઇ. સ. ૧૦૮૧, ૧૦૮૯ વિ. સ’. ૧૧૩૮ તથા ૧૧૪૭ના લેખા છે. તેમજ શ્રીમહાવીરસ્વામીના મંદિરજીમાં એઠક ઉપર એક લેખ છે તેમાં તે ઈ. સ. ૧૦૬૧, વિ સં. ૧૧૧૮ ના લેખ છે અર્થાત્ આ સમયે તે મંદિર પૂર્ણ થયાના ઉલ્લેખ છે એટલે આની પહેલાં મંદિશ શરૂ થયાનું સિદ્ધ થાય છે. આજ કુંભારીયાજી ગામ તે તદ્દન નાનું છે. મંદિર જગલમાં આવેલાં છે, પરન્તુ પહેલાં તે અખાજી અને કુ ંભારીયાજી ખધુ' એક જ હશે. આજે ઠેર ઠેર મળેલા પત્થરો, ઈંટો, ટીંબા અને મકાનાનાં ખડિચેરી પડ્યાં છે. અમે એક એ ૨૮( કૂવા ) ઉપર કેટલીક જુદી જુદી આકૃતિની મૂર્તિએ જોઈ હતી. આ ઉપરથી એમ લાગે છે કે જમીનમાંથી નીકળેલી મૂર્તિ એ હશે. આ ભવ્ય શહેરના વિનાશ ઈ. સ. ૧૬૧૮ પછી થયેા હશે. જો કે વચ્ચે વચ્ચે પણ મુસલમાની યુગમાં શહેર અને મદિરાને હાનિ ત પહોંચી જ હશે. આ નગરનું નામ કુંભારીયા કેમ પડયું તે એક શેાધના વિષય છે. અહીંનાં મદિરે ના જીર્ણોદ્ધાર તપગચ્છાધિરાજ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિજી અને તેમના શિષ્યપરિવારે કરાવ્યા છે જેથી આજે આપણને એ મદિરમાં જિનવરેન્દ્ર દેવનાં દર્શન થાય છે, અને તેથી જ તેમના પ્રતિષ્ઠાના ઘણા લેખા મૂર્તિએ ઉપર ઉપલબ્ધ થાય છે. અંબાજીનું મંદિર પણ પ્રથમ જૈન મંદિર જ હશે એમ ચેાક્કસ લાગે છે. તેની રચના, બાંધણી બધુંચે જૈન મંદિર જેવાં જ છે. અખાજી શ્રીનેમનાથ ભગવાનની અધિષ્ઠાયિકાદેવી છે. વિમલશાહે આવ્યૂ ઉપર પણ અખાજીનુ` મદિર મધાવ્યું છે. રિપેર્ટીમાં પણુ લખ્યુ છે કે “અંબાજી માતાનુ મદિર તે મૂળ જન દેવાલય હશે. ’ અત્યારે તે કુ ંભારીયાજી તીર્થસ્થાન દાંતા સ્ટેટના તાબામાં છે. યાત્રિક ઉપર કર લેવાય છે. જો કે વધુ કર તે અંબાજીના છે પરંતુ કુંભારીયાજી–આરાસણુ જનારા જૈન યાત્રિકા ઉપર પણુ તે કર લાદવામાં આવે છે. ખરેડીથી સીધી સડક આરાસણુ જાય છે. વચમાં ચેતરફ પહાડીમાંથી રસ્તે કાઢેલા છે.મેટરી અને બીજા વાહુના જાય છે. અંબાજીમાં ઘણી ધર્મશાલાએ છે. અહીં એક વિચિત્ર રિવાજ છે કે યાત્રી લેાક ખીચડી નથી બનાવી શકતા, તેમજ રાટલી અને તેલનુ પણ કાંઈ નથી ખવાતું. તેલીયા નદી ઉપર બધું તેલનું ખાણું મૂકી દેવામાં આવે છે. આ મદિરા ધાવનાર વિમલ મંત્રી ગુજરાતના રાજા ભીમદેવના મહામાત્ય હતા. તેમના સંધી વિવેચન આમૂજીના પ્રકરણમાં આપણે જોઇ ગયા છીએ એટલે વિશેષ અહીં લખતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy