________________
ઈતિહાસ ] : ૨૫૧ ?
ખંભાત મૂર્તિ સુંદર નીલમની છે જેના ઉપર અત્યારે લેપ છે. અને તે ભવ્ય મૂર્તિ અત્યારે ભેંયરામાં બિરાજમાન છે. એવી જ રીતે જીરાવલાપાડામાં ચિન્તામણી પાર્શ્વ નાથજીનું પાંચ-શિખરી ત્રણ માળનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ખંભાતનાં બીજા વીશ મંદિરોને સમાવેશ કરવામાં આવ્યા છે. શેઠ પોપટભાઈ અમરચંદે તન, મન અને ધનથી આ મંદિરનો જીર્ણોધ્ધાર માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતે.
ખંભાતમાં ચિન્તામણી પાર્શ્વનાથજીનાં ચાર મંદિર, મનમોહન પાર્શ્વનાથજીનાં બે મંદિરે, થંભણ પાર્શ્વનાથજી, સુખસાગર પાર્શ્વનાથજી, સમ ચિન્તામણિ પાશ્વનાથજી, નવપલ્લવ પાર્શ્વનાથજી, ગોડી પાર્શ્વનાથજી, નવખંડા પાર્શ્વનાથજી, વિજય ચિંતામણી પાર્શ્વનાથજી, અમીઝરા પાર્શ્વનાથજી વગેરે પાર્શ્વનાથજીનાં મંદિર અને મૂર્તિઓ સુંદર, ચમત્કારી અને પ્રભાવશાળી છે.
ખંભાતની ચિત્યપરિપાટી કરતાં લગભગ અઠવાડીયું થાય છે. મોટાં કુલ પર મંદિરમાં કુલ ૭૬૦ પાષાણની મૂર્તિઓ છે. એક ગુરૂમંદિર સુંદર છે. જ્ઞાનભંડારેને ટૂંક પરિચય આ પ્રમાણે છે.
૧. જ્ઞાનવિમલસૂરિજીને ભંડાર અમરચંદ પ્રેમચંદની ધર્મશાળામાં છે. ૯૯ થિીઓ કાગળ ઉપર લખેલી છે. પુસ્તક પણ છે.
૨. ચુનીલાલજી યતિને ભંડાર દેવચંદજી યતિના કબજામાં છે. ૧૨૫૦ ગ્રંથ છે.
૩. ભોંયરાના પાડાને ભંડાર નજીકની ધર્મશાળામાં છે. સંગ્રહ સારે છે. તાડપત્રનાં પુસ્તક છે.
૪. નીતિવિજયજીને ભંડાર–જૈનશાળાના કબાટમાં છે. ૫૦ પોથીઓ છે.
૫. શાંતિનાથજીને ભંડાર–ખંભાતને આ પ્રાચીન તાડપત્રીય ભંડાર છે. આ ભંડારમાં ઘણું અલભ્ય પ્રાચીન પુસ્તક છે. આ પુસ્તકનું લીસ્ટ ઈ. સ. ૧૮૮૫ પિતસેન સાહેબે કર્યું હતું અને હમણું પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજીના સમયમાં જીર્ણોદ્ધાર-સુધારવધારે થયા અને ત્યાર પછી પૂ આ. શ્રી વિજયકુમુદસૂરિજીએ આ ભંડારનાં પુસ્તકનું લીસ્ટ પ્રકાશિત-સંપાદિત કર્યું છે.
૬. ખારવાડામાં પૂ. પા. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી બંધાવેલ ત્રણ માળનું ભવ્ય જ્ઞાનમંદિર છે, જેમાં પુસ્તકને સંગ્રહ ઘણે સારે છે. સૂરિજીના ઉપદેશથી જીરાવલા પાડામાં એક જ્ઞાનશાળા પણ સ્થપાયૅલી છે. ખંભાતમાં બીજી પણ અનેક સંસ્થાઓ છે.
ગુલાબવિજ્યજીને જે ઉપાશ્રય કહેવાય છે તે પૂ. કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિજીનો ઉપાશ્રય છે.*
*ખંભાતથી સેના અકબરપુરમાં આચાર્યશ્રી વિજયસેનસૂરિજીનું સ્વર્ગગમન થયું હતું. ત્યાં તે સમયે ત્રણ સુંદર જિનમંદિરે હતાં. તેમજ સમ્રાટ જહાંગીરે સૂરિજીના અગ્નિદાહ સ્થાને સૂપ બનાવવા દશ વીઘાં જમીન ભેટ આપી હતી. અત્યારે ત્યાં મંદિરે વગેરે કાંઈ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com